બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટેકાના ભાવને લઈ આવ્યા સૌથી મહત્વના સમાચાર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
Last Updated: 03:43 PM, 31 October 2025
રાજ્યમાં આવતીકાલે એટલે કે 1લી નવેમ્બરથી શરૂ થનારી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાલ માટે રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને અનેક વિસ્તારોમાં મગફળી સહિતના પાકોને થયેલાં નુકસાનને પગલે સરકારને આ નિર્ણય લેવાનો આવ્યો છે.
ADVERTISEMENT
વરસાદને કારણે ખેડૂતની જણસ ભીંજાઈ અને પલળી જતાં ખરીદી પ્રક્રિયા શરૂ કરવી શક્ય નથી રહી. મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ADVERTISEMENT
સરકારે અગાઉ મગફળી, અડદ, સોયાબીન અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી અને તેના માટે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

ADVERTISEMENT
રજિસ્ટ્રેશનના આંકડા નીચે મુજબ છે:
મગફળી વેચવા માટે : 9.32 લાખથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન
ADVERTISEMENT
સોયાબીન વેચવા માટે : 73 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન
અડદ વેચવા માટે : 6100 જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન
ADVERTISEMENT
મગ વેચવા માટે : 1935 ખેડૂતોનું રજિસ્ટ્રેશન
હાલમાં કમોસમી વરસાદને કારણે મગફળી તથા અન્ય પાક પલળી જતાં ખરીદીની શરૂઆતમાં અવરોધ ઉભા થયા છે. સરકાર હવે હવામાનની સ્થિતિ અને પાકની ગુણવત્તા તપાસીને નવી તારીખ જાહેર કરશે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
ADVERTISEMENT

ખેડૂતોમાં હાલ ખરીદી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવતા નિરાશા સાથે અસ્પષ્ટતા પણ જોવા મળી રહી છે, કારણ કે મોટાભાગના ખેડૂતો પોતાની ઉપજ વેચવા માટે તૈયાર હતા.
આ પણ વાંચોઃ શું 1 નવેમ્બરથી કાર્ડધારકોને રાશન નહીં મળે? દુકાનદારોની હડતાળ વચ્ચે સરકારનું મોટું એલાન
1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ નહી થાય
ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ નહી થાય જે મામલે કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્માvtv News સાથે ટેલિફોનિક વાતચીત દરમ્યાન નિવેદન આપ્યું હતું કે, વરસાદના કારણે હાલ પુરતી ખરીદી પ્રક્રિયા સ્થગિત કરાઈ છે. મગફળી ખરીદી અંગેની તારીખો હવે પછી જાહેર કરાશે. 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થવાની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.