સાંજે 6 વાગે થનારા મોદી સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં 43 નવા મંત્રીઓ શપથ લેશે. પીએમ મોદી કેબિનેટમાં સામેલ થઈ રહેલા 43 નેતાઓની ફાઈનલ યાદી આવી છે.
કેબિનેટ વિસ્તરણમાં કુલ 43 મંત્રીઓ શપથ લેશે.
કેબિનેટ વિસ્તરણમાં 10 મંત્રીઓને પ્રમોશન અપાયું
33 નવા ચહેરાઓને સમાવાયા
11 જુના મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા
લિસ્ટના ઘણા મોટા નેતાઓને જગ્યા આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે નારાયણ તાતુ રાણે, સર્વાનંદ સોનોવાલ, વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદર પ્રસાદ સિંહ, અશ્વીની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજ્જુ, રાજકુમાર સિંહ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા સહિતના 43 નેતાઓ સામેલ છે.
10 મંત્રીઓને પ્રમોશન, 33 નવા ચહેરાને સ્થાન મળ્યું
કેબિનેટ વિસ્તરણમાં 10 મંત્રીઓને પ્રમોશન અપાયું છે જો 33 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ નેતાઓ સાંજે 6.00 વાગ્યે મંત્રી તરીકેના શપથ લેશે.
43 leaders to take oath today in the Union Cabinet expansion. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur to also take the oath. pic.twitter.com/pprtmDu4ko
કુલ 43 મંત્રીઓ, 11 જુના મંત્રીઓના રાજીનામા લેવાયા
પ્રધાનમંત્રી મોદીએ કેબિનેટમાં નવા 43 મંત્રીઓને સમાવ્યાં છે. તો 11 જુના મંત્રીઓના રાજીનામા માંગી લીધા છે.