કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એકવાર ફરી પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા ન માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું છે. પોતાના ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ આરએસએસના ઇરાદાઓને ખતરનાક બતાવ્યા છે.
પ્રિયંકા ગાંધીએ લખ્યું, '' RSSના ઇચ્છાશક્તિ પ્રબળ છે અને ઇરાદાઓ ખતરનાક છે. જે સમયે ભાજપા સરકાર એક-એક કરી જનપક્ષ કાનૂનોને મૃત બનાવી રહી છે. આરએસએસે પણ અનામત પર ચર્ચા કરવાની વાત ઉઠાવી નાંખી છે. ચર્ચા તો માત્ર શબ્દોનું બહાનું છે પરંતુ આરએસએસ-બીજેપીનું અસલી નિશાન સામાજિક ન્યાય છે. પરંતુ શું તમે એવુ થવા દેશો?
RSS का हौसला बढ़ा हुआ है और मंसूबे खतरनाक हैं। जिस समय भाजपा सरकार एक-एक करके जनपक्षधर कानूनों का गला घोंट रही है। RSS ने भी लगे हाथ आरक्षण पर बहस करने की बात उठा दी है।
बहस तो शब्दों का बहाना है मगर RSS-BJP का असली निशाना सामाजिक न्याय है।
પ્રિયંકા ગાંધીનું આ ટ્વિટ કરવા પાછળનું કારણ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન છે. ગત રવિવાર મોહન ભાગવતે કહ્યું હતું કે જે અનામતના પક્ષમાં છે અને જે તેના વિરોધમાં છે તેમની વચ્ચે આ મામલે સદ્ભાવના પૂર્ણ માહોલમાં વાતચીત થવી જોઇએ. ભાગવતે કહ્યું હતું કે એમણે પહેલા પણ અનામત પર વાત કરી હતી પરંતુ તેથી ખુબ જ હંગામો થયો હતો. અને આખી ચર્ચા વાસ્તવિક મુદ્દાથી ભટકી ગઇ.
જોકે, કોંગ્રેસ અને બસપા સહિત વિપક્ષની પાર્ટીઓએ ભાગવતની આ ટિપ્પણીને લઇને બીજેપી અને તેના વૈયારિક સંગઠન આરએસએસ પર પ્રહાર કર્યો હતો. જે બાદ આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારને એક ટ્વીટમાં કહ્યું, 'જ્યા સુધી સંઘનો આરક્ષણના વિષય પર મત છે, એ ઘણીવાર સ્પષ્ટ કરવામાં આવી ચક્યૂં છે કે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક આધારે પછાત માટે આરક્ષણનું પૂર્ણ સમર્થન કરે છે.'