બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / છાતી ચીરીને આરપાર નીકળી ગઈ ગોળી, સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથના પોસ્ટમોર્ટમમાં ખુલાસો
Last Updated: 06:15 PM, 7 May 2026
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખળભળાટ મચાવનારા ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની હત્યા કેસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. 42 વર્ષીય ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે મધ્યમગ્રામમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેની પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સનસનાટીભરી વિગતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર, હુમલાખોરોએ અત્યંત નજીકથી (Point Blank Range) ચંદ્રનાથ પર ગોળીઓ વરસાવી હતી. જેમાંથી અનેક ગોળીઓ તેમના સીનાને ચીરીને હૃદયની આરપાર નીકળી ગઈ હતી. શરીરના મહત્વના અંગોને ગંભીર ઈજા પહોંચવાને કારણે અને અતિશય રક્તસ્ત્રાવને લીધે તેમના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જે આખરે તેમના મૃત્યુનું કારણ બન્યું હતું.
ADVERTISEMENT

આ લોહીયાળ ઘટનાક્રમની વિગતો મુજબ, ચંદ્રનાથ રથ જ્યારે કોલકાતાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આ હુમલો કર્યો હતો. પહેલા એક શંકાસ્પદ કારે તેમની સ્કોર્પિયોને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ બાઇક પર સવાર વ્યાવસાયિક શૂટરોએ કારની સાવ નજીક આવીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં ચંદ્રનાથના ડ્રાઈવર બુદ્ધદેબ બેરાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળેથી પોલીસને જે ખાલી કારતૂસ મળ્યા છે તે જોતા પોલીસને આશંકા છે કે હુમલામાં અત્યાધુનિક 'ગ્લોક 47X' (Glock 47X) પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સામાન્ય રીતે કોઈ વ્યાવસાયિક શૂટરો પાસે જ જોવા મળે છે.
ADVERTISEMENT

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે હુમલાખોરોએ જે કારનો ઉપયોગ કર્યો હતો તેના પર ફેક નંબર પ્લેટ હતી. એટલું જ નહીં, આરોપીઓએ કારના ચેસિસ અને એન્જિન નંબર પણ ભૂંસી નાખ્યા હતા જેથી તેમની ઓળખ ન થઈ શકે. આ બાબત સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે આ કોઈ સામાન્ય ગુનો નથી પરંતુ હાઈ-પ્રોફાઈલ રાજકીય કાવતરું હોઈ શકે છે. હાલમાં સીઆઈડી (CID) અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્ર કર્યા છે અને સમગ્ર વિસ્તારના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 10 નહીં, હવે 5 વર્ષમાં જ સેલરી હાઇકની માંગ, કેન્દ્રીય કર્મીઓની થશે મોજ
આ ઘટનાના કેટલાક CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે હૃદયદ્રાવક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. સ્કોર્પિયો કારના કાચ પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. જ્યારે લોકોએ મહામુસીબતે કારનો દરવાજો ખોલ્યો ત્યારે ચંદ્રનાથ રથનું લોહીલુહાણ શરીર સીટોની વચ્ચે પડેલું હતું. લોકોએ તેમને પકડીને સીટ પર બેસાડ્યા અને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે તેમને બચાવી શકાયા નહોતા. બંગાળમાં ૨૦૨૬ના ચૂંટણી પરિણામો પછી વધી રહેલી હિંસામાં આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.