બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પોન્ઝી સ્કીમનું કૌભાંડ આવ્યું સામે, વૃદ્ધોને ટાર્ગેટ કરીને કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Last Updated: 11:51 PM, 14 April 2025
અમદાવાદના અમરાઇવાડીમાં પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ અંતર્ગત વૃદ્ધોને ટાર્ગેટ કરીને 36 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. કૌભાંડી દ્વારા માસિક 1 થી ચાર હજારનું રોકાણ કરવાની સ્કિમ ચાલુ કરવામાં આવી હતી, અને 39 ડ્રો કાઢવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી. પોલીસે આ કેસમાં વિજ્ય અગ્રવાલ નામના આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે ગુજરાતમાં આ પ્રકારનું આ પહેલું કૌભાંડ નથી. થોડા સમય પહેલા BZ ગ્રુપનો આવોજ પોન્જી સ્કિમનો છેતરપીંડીનો ખેલ સામે આવ્યો હતો.. જેમાં સાબરકાંઠામાં BZ ગ્રુપ દ્વારા એક નાનકડી ઓફિસમાં ધંધો શરૂ કરવામાં આવી હતી. પહેલા હિંમતનગર, રણાસણ, ગાંભોઈ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં લોભામણી સ્કિમથી ધંધાની શરૂઆત કરાઇ હતી અને ધીમે ધીમે ઉત્તર ગુજરતાના અનેક વિસ્તારો સુધી જાળ પાથરવામાં આવી હતી. BZ ગ્રુપ લોકોને બેંક, પોસ્ટ કરતા વધુ ઊંચા વ્યાજ આપવાની લાલચ આપી હતી. આ માટે પહેલા તેમણે એજન્ટો તૈયાર કર્યા હતા, જેમને મોટું કમિશન આપવામાં આવતુ હતું. આ એજન્ટો સામાન્ય માણસને ફસાવવા માટે લોભામણી વાતો કરતા અને પછી તેમને સમજાવીને પૈસા રોકવાનું કહેતા. લોકોને દર મહિનાના ત્રણ ટકા લેખે એટલે કે વાર્ષિક 36 ટકાના વ્યાજની લાલચ અપાતી હતી. આવા પ્રલોભનમાં લોકો ફસાયા હતા. શરૂઆતમાં લોકોને વિશ્વાસમાં લેવા માટે 15 ટકાથી 20 ટકા સુધીનું વળતર આપવામાં આવ્યું હતું.. અને બાદમાં રોકાણકારોને ચૂનો લગાવાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.