બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પ્રવેશદ્વાર પર રાખો આ વસ્તુઓ, આવશે સમૃદ્ધિ અને થશે ધન વર્ષા

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / પ્રવેશદ્વાર પર રાખો આ વસ્તુઓ, આવશે સમૃદ્ધિ અને થશે ધન વર્ષા

Last Updated: 10:42 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજા પર અમુક વસ્તુ મુકવામાં આવે કે શણગારવામાં આવે તો ઘરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે. ચાલો એવી વસ્તુઓ વિષે જાણીએ.

1/7

photoStories-logo

1. મુખ્ય દરવાજા

વાસ્તુ શાસ્ત્રમા ઘરના મુખ્ય દરવાજાને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. જેમાં સકારાત્મક ઉર્જા, સુખ, સમૃદ્ધિ અને શુભ પ્રસંગોએ આ જગ્યા દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. આથી મુખ્ય દરવાજાને હંમેશા સ્વચ્છ, વ્યવસ્થિત અને શુભ પ્રતીકોથી શણગારેલો રાખવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજા પર અમુક વસ્તુઓ યોગ્ય રીતે રાખવાથી સકારાત્મક વાતાવરણ બને છે અને નકારાત્મક ઉર્જાની અસર ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પાણી ભરેલો કળશ

મુખ્ય દરવાજા પર પાણી ભરેલો કળશ મૂકવો શુભ માનવામાં આવે છે. કળશ સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક છે. મુખ્ય દરવાજા પાસે પહોળા મોંવાળા કળશ મૂકવા અને તેમાં દરરોજ સ્વચ્છ પાણી ભરવાને શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ પાણીમાં થોડી ફૂલની પાંખડીઓ પણ ઉમેરે છે. એવું મનાય છે કે આ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરે છે અને નકારાત્મકતાને પ્રવેશતા અટકાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. માળા

મુખ્ય દરવાજા પર આંબાના પાનની માળા મૂકવાની પરંપરા પણ ખૂબ જૂની છે. કેરીના પાન સિવાય અશોક, લીમડા કે નારિયેળના રેસામાંથી બનાવેલી માળા પણ મૂકી શકાય છે. જો કુદરતી પાંદડાઓનો માળા મૂકવામાં આવ્યો હોય તો તેને સમયાંતરે બદલવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મુખ્ય દરવાજાનો રંગ

વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય દરવાજાનો રંગ પણ મહત્વનો માનવામાં આવે છે. જેમાં મુખ્ય દરવાજાને કાળા રંગ કરતાં લાલ, સફેદ, વાદળી કે ભૂરા કલરથી રંગવાનું વધુ શુભ માનવામાં આવે છે. એવું મનાય છે કે આ સકારાત્મક ઉર્જા વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ગણપતિની મૂર્તિ

જો તમે મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશનું ચિત્ર કે મૂર્તિ મૂકવા માંગતા હોવ તો તેને દરવાજાની અંદર મૂકવાની ભલામણ કરવામાં આવે છે. એવું મનાય છે કે આ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને અવરોધો દૂર કરે છે. આ સિવાય મુખ્ય દરવાજા માટે લાકડાને પણ બેસ્ટ સામગ્રી માનવામાં આવે છે. જો લાકડું ઉપલબ્ધ ન હોય તો સ્ટીલનો દરવાજો પણ યોગ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. છોડ

ઘરની જમણી બાજુ અમુક જાદુઈ છોડ પણ મૂકી શકાય છે. એવું મનાયછે કે મુખ્ય પ્રવેશદ્વાર પર તુલસીનો છોડ, મની પ્લાન્ટ કે જેડ પ્લાન્ટ જેવા છોડ મૂકવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. આવા ઘરોને ધન અને સમૃદ્ધિ મળે છે. લોકો વૈભવી જીવન જીવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Plants Main Door
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ