બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Polls in 2019 were fought under Modi-Fadnavis but Uddhav betrayed by sitting in Congress' lap- Amit Shah
Hiralal
Last Updated: 09:37 AM, 11 June 2023
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની એક રેલી દરમિયાન શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું. શાહે ઠાકરે પર આરોપ લગાવ્યો છે કે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદ માટે ભાજપ સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
Polls in 2019 were fought under Modi-Fadnavis but Uddhav betrayed by sitting in Congress' lap to become CM: Amit Shah
— Press Trust of India (@PTI_News) June 10, 2023
ઉદ્ધવની નીતિઓને કારણે પાર્ટી ભાંગી પડી
નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપના આઉટરીચ અભિયાનના ભાગરૂપે નાંદેડમાં એક રેલીને સંબોધતા શાહે કહ્યું હતું કે ભાજપે ગયા વર્ષે ઠાકરેના નેતૃત્વવાળી એમવીએ સરકારને પાડી ન હતી, પરંતુ તે શિવસૈનિકો જ હતા જેઓ ઠાકરેની નીતિઓથી કંટાળી ગયા હતા અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી સાથે જવા તૈયાર નહોતા.
We didn't pull down Uddhav govt; Shivsainiks were tired of his policies, opposed NCP alliance: Amit Shah in Nanded
— Press Trust of India (@PTI_News) June 10, 2023
2019ની ચૂંટણી પહેલાં ઠાકરે સાથે વાત કરી હતી
શાહે વધુમાં જણાવ્યું હતું કે "મેં અને તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 2019ની ચૂંટણી પહેલાં ઠાકરે સાથે વાત કરી હતી કે જો એનડીએ જીતશે તો ફડણવીસ ફરી મુખ્ય પ્રધાન બનશે. ઉદ્ધવે આ વાત માની લીધી. જો કે ચૂંટણી પરિણામો બાદ ઠાકરેએ વાયદો તોડીને કોંગ્રેસ-એનસીપીના ખોળામાં બેસી ગયા હતા.
એકનાથ શિંદેની પાર્ટી જ અસલી શિવસેના
શાહે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાને પોતાનું ધનુષ અને તીર પાછું મળી ગયું છે અને અસલી શિવસેના કોણ છે તે નક્કી થઈ ગયું છે. તેમણે કહ્યું કે, "હું ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકું છું કે તેઓ ત્રણ તલાક, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, સમાન નાગરિક સંહિતા અને મુસ્લિમો માટે અનામતની પ્રથાને સમાપ્ત કરવા સંમત છે કે કેમ તે અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે. ઠાકરે પર પ્રહાર કરતા શાહે કહ્યું કે, "તમે બે પથ્થરો પર ઉભા રહી શકતા નથી. તમને રાજ્યના લોકો સમક્ષ ઉઘાડા પાડવામાં આવ્યા છે. ગૃહ પ્રધાને કહ્યું કે ઠાકરે કોવિડ -19 રોગચાળા દરમિયાન ઓફિસ ગયા ન હતા જ્યારે પીએમ મોદી દેશવાસીઓને રસી આપી રહ્યા હતા. કોવિડ -19 રોગચાળા દરમિયાન ઓફિસમાં ભાગ ન લેવા બદલ ઠાકરેએ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime