અમદાવાદ: ભગવાન જગન્નાથની 141મીં રથયાત્રાને આડે ત્રણ દિવસ બાકી છે. ત્યારે અમદાવાદ પોલીસે રથયાત્રાને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આજે સુરક્ષા બળો અને પોલીસકર્મીઓ સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું હતું.
શનિવારે ભગવાન જગન્નાથની નીકળનારી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ દ્વારા પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આજે સવારે અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બહારથી આવેલા સુરક્ષા બળો અને પોલીસકર્મીઓ સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું હતું. તમામ પોલીસ કર્મીઓને આજે પોઇન્ટની ફાળવણી કરવામાં આવી હતી.
રથયાત્રામાં 25 હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. ત્યારે હવે રથયાત્રાને લઈને પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ. પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષાનાં પોઇન્ટ ધાબા પોઇન્ટ અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ રોડનુ નિરીક્ષણ પણ કર્યુ હતુ.