બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:46 AM, 26 February 2024
કેન્દ્ર સરકાર નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. કોરોનાકાળમાં PM સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ કોઈપણ ગેરંટી વગર 50 હજાર સુધીની લોન મળે છે. જે લોકો નાનું મોટું કામ કરી રહ્યા છે, પરંતુ બિઝનેસ શરૂ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તે લોકો માટે આ યોજના ખૂબ જ લાભકારી છે. જે લોકો મજૂરી કરી રહ્યા છે, તે લોકો માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.
ADVERTISEMENT
કેટલી રકમ સુધીની લોન મળશે?
PM સ્વનિધિ યોજના 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. 50 હજાર રૂપિયાની લોન લેવા માટે ક્રેડિબિલિટી બનાવવાની રહેશે. આ કારણોસર આ યોજના હેઠળ સૌથી પહેલા 10 હજાર રૂપિયાની લોન મળે છે. એકવાર લોન ચૂકવ્યા પછી બીજી વાર દેવા તરીકે વધુ રકમ લઈ શકાય છે.
આ લોન કેવી રીતે મળી શકે?
જેમ કે, કોઈ વ્યક્તિને દુકાન શરૂ કરવી છે, તો તે માટે PM સ્વનિધિ યોજના હેઠળ 10 હજાર રૂપિયાની લોન લીધી. આ લોનની રકમ સમયસર ચૂકવી દીધી હોય તો બીજી વાર તે વ્યક્તિ આ સ્કીમ હેઠળ 20 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. જેથી ત્રીજી વાર કુલ 50 હજાર રૂપિયાની લોન લઈ શકશો. સરકાર આ યોજના હેઠળ સબસિડી પણ આપે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: માર્કેટમાં ઉછાળો કે પછી ઘટાડો? આગામી સપ્તાહમાં કેવું રહેશે શેર બજાર? જાણો નિષ્ણાંતનો મત
માત્ર આધારકાર્ડથી લોન લઈ શકાશે
આ સ્કીમ અંતર્ગત લોન લેવા માટે કોઈપણ પ્રકારના પુરાવાની જરૂર રહેતી નથી. અરજી મંજૂર કરવા માટે લોનની રકમ ત્રણ વારમાં તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. લારી ચલાવતાં લોકો માટે કેશ-બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ સ્કીમનું બજેટ વધાર્યું છે. કોઈપણ સરકારી બેંકમાં માત્ર આધારકાર્ડનાં આધારે આ લોન માટે અરજી કરી શકાય છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.