બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / pm modi viral video pm modi in guru ravidas vishram dham mandir
Pravin
Last Updated: 03:04 PM, 16 February 2022
આજે સંત રવિદાસ જયંતિના અવસરે પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના કરોલબાગમાં શ્રી ગુરૂ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ મંદિર પરિસરમાં હાજર મહિલા સાથે ભજન કીર્તન પણ કર્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ દરમિયાન પીએમ મોદી ત્યાં હાજર લોકો સાથે મળ્યા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
પીએમ મોદીએ મંઝીરા વગાડ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત રવિદાસ જયંતિના અવસરે કરોલ બાગના શ્રી રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં શ્રદ્ધાળુઓ સાથે ભજનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ભક્તો સાથે બેસીને મંઝીરા પણ વગાડ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi takes part in 'Shabad Kirtan' at Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi's Karol Bagh on the occasion of Ravidas Jayanti
— ANI (@ANI) February 16, 2022
Source: DD pic.twitter.com/pa2YLWqFnE
આપણા બધાં માટે પ્રેરણાદાયી છે સંત રવિદાસ
આ અગાઉ કાલે પીએમ મોદીએ ટ્વિટર પર સંત રવિદાસની પૂજા કરતા કેટલીય તસ્વીરો પોસ્ટ કરી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે, મહાન સંત ગુરૂ રવિદાસજીની જન્મ જયંતિ છે. તેમણે જે રીતે પોતાનું જીવન સમાજમાંથી જાત-પાત અને છૂઆછૂત જેવી કુપ્રથાઓને સમાપ્ત કરવા માટે સમર્પિત કરી દીધી, તે આજે પણ આપણાં બધા માટે પ્રેરણાદાયી છે. આ અવસર પર મને સંત રવિદાસની પવિત્ર ભૂમીને લઈને કંઈક વાતો યાદ આવી રહી છે. વર્ષ 2016 અને 2019માં મને અહીં શિશ ઝૂકાવાનું અને લંગરમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો. એક સાંસદ હોવાના નાતે મેં નક્કી કરી લીધું હતું કે, આ તીર્થસ્થળના વિકાસકામમાં કોઈ કમી નહીં રહેવા દઉં.
પઠાણકોટમાં પીએમ મોદીની જાહેરસભા
પીએમ મોદી કરોલ બાગમાં પૂજા કર્યા બાદ સીધા પંજાબના પઠાણકોટ રવાના થઈ ગયા હતા. પઠાણકોટમાં પીએમ મોદી પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને એક જાહેરસભાને સંબોધન કરવાના છે. તો વળી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જાલંઘરમાં રવિદાસ જયંતિ મંદિરમાં દર્શન કરશે અને રોડ શોમાં જોડાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime