બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 71 હજાર યુવાનોને મળશે સરકારી જૉબની ગિફ્ટ, રોજગાર મેળામાં PM મોદી આપશે એપોઇન્ટમેન્ટ લેટર
Last Updated: 09:36 AM, 23 December 2024
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે 23 ડિસેમ્બરે રોજગાર મેળા હેઠળ 71 હજારથી વધારે કેન્ડઈડેટેને નિમણૂક પત્ર આપવાના છે. કેન્દ્ર સરકારે વિભિન્ન વિભાગોમાં સરકારી નોકરી મેળવવા માટે કેન્ડઈડેટ્સને વિડીયો કૉંફરેસિંગના માધ્યમે નિમણૂક પત્ર આપવામાં આવશે. આની માટે સવારે 10:30 થી પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પ્રોગ્રામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિયુક્તિ પર ચર્ચા કરશે અને યુવાઓને રોજગારની નવી તકો વિષે સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરેલા નિવેદન અનુસાર, આ પગલું રોજગાર નિર્માણ પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ADVERTISEMENT
10:30 વાગ્યે શરૂ થશે વિડીયો કોંફરેન્સ
રોજગાર મેળામાં નિમણૂક પત્ર વહેચવાથી લઈને PMએ ટ્વિટ કરી લખ્યું, 'વિકસિત ભારતના નિર્માણમાં પોતાના યુવા સાથીઓને ભાગીદારી વધવાથી અર્થપૂર્ણ ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. દિશામાં આજે સવારે 10:30 વાગ્યે વિડીયો કૉંફરેસિંગના માધ્યમે હજારો યુવાનોને નિમણૂક પત્ર આપવાનું સૌભાગ્ય મળશે.'
ADVERTISEMENT
विकसित भारत के निर्माण में अपने युवा साथियों की सार्थक भागीदारी बढ़ाने के लिए हम प्रतिबद्ध हैं। इसी दिशा में कल सुबह करीब 10.30 बजे वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से हजारों युवाओं को नियुक्ति पत्र देने का सौभाग्य मिलेगा।https://t.co/LV7IoIioaZ
— Narendra Modi (@narendramodi) December 22, 2024
આ મેળાના માધ્યમે યુવાઓને દેશના વિકાસ અને આત્મનિર્ભર બનવા માટે અને મહત્વપૂર્ણ મોકા આપવામાં આવશે. આ મેળો દેશભરમાં 45 સ્થળો પર આયોજિત કરવામાં આવશે, જ્યાં વિભિન્ન મંત્રાલયો અને વિભાગોમાં નવી નિયુક્તિઓ કરવામાં આવશે. આ મેળો યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને આત્મસશક્તિકરણમાં ભાગ લેવાની અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
ADVERTISEMENT

મંત્રાલયો અને વિભાગોમાં થશે કેન્ડઈડેટ્સની ભરતી
ADVERTISEMENT
રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક કર્મચારીને ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો અને વિભાગમાં નિમણૂક કરવામાં આવશે. આ કાર્યક્રમ ન માત્ર સરકારી ક્ષેત્રમાં રોજગારીની તકો વધારશે, પરંતુ આ યુવા પેઢીને પોતાની ક્ષમતાઓ અને સપનાને પૂરાં કરવા એક મોટી તક પણ આપશે.
વધુ વાંચોઃ ક્રિસમસ પહેલા ઉત્તર ભારતમાં શીત લહેર, જાણો હવામાન વિભાગે ક્યાં કરી વરસાદની આગાહી
ADVERTISEMENT
PM રોજગાર મેળો શું છે?
રોજગાર મેળાની પહેલ 22 ઓક્ટોબર 2022થી શરૂ થઈ હતી. ત્યારબાદ પીએમ મોદીએ 10 લાખ સરકારી નોકરીઓ આપવાના લક્ષ્ય સાથે અભિયાનની શરૂઆત કરી હતી. આ ચાલુ પ્રયાસ રોજગારને પ્રોત્સાહન આપવા અને દેશના કર્મચારીઓની વૃદ્ધિ અને વિકાસને સરળ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે રોજગાર મેળામાં 51 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.