બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi Mehsana tour Modhera Light and show BESS Solar Powered Village
Vishnu
Last Updated: 08:41 PM, 9 October 2022
LIVE
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ હવે તેજ થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ગુજરાતનાં ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગે તે પહેલા સરકારી કામોની ભેટ આપવા માટે ફરીવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે જેમાં સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રી ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ કરશે અને જંગી સભાઓને પણ સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદી આવ્યા ત્યારે ભાવનર, અમદાવાદ અને સુરત જેવા ત્રણ મોટા શહેરોને કવર કરી લીધા હતા. આ વખતે રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યક્રમો છે. આજે પ્રવાસના પ્રથમ દિવસે પીએમ મોદીએ મહેસાણા જિલ્લાને રૂપિયા 3092 કરોડનાં વિકાસ કામોની ભેટ આપી હતી. લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ PM મોદીએ મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા. જે બાદ મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું.
Live: મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લઈને મંદિરમાં સૌરઊર્જાથી સંચાલિત ૩-ડી મેપિંગ શૉ અને હેરિટેજ લાઈટીંગનું લોકાર્પણ કરતાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી.@narendramodihttps://t.co/375eyVYhAn
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2022
મોઢેરા સૂર્યમંદિરમાં અદભૂત લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોને નિહાળી રહ્યા છે PM મોદી
PM Shri @narendramodi ji inaugurates 3D projection light and sound show explaining the importance of Surya Mandir in Modhera, Gujarat. pic.twitter.com/a8jAhuZAu1
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2022
PM મોદીના હસ્તે મોઢેરા સૂર્યમંદિરના અદભૂત લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने मोढेरा के सूर्य मंदिर में हेरिटेज लाइटिंग का उद्घाटन किया। pic.twitter.com/1CoiKUEZgn
— ANI_HindiNews (@AHindinews) October 9, 2022
મહેસાણામાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરી PM મોદીએ કુળદેવી મોઢેશ્વરી માતાનાં દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મોઢેરા સૂર્યમંદિરથી મોઢેશ્વરી માતાજી મંદિર સુધી રોડ શો યોજ્યો હતો.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने मोढेरा के मोधेश्वरी माता मंदिर में पूजा की। pic.twitter.com/IY14odprwr
— ANI_HindiNews (@AHindinews) October 9, 2022
પહેલા અમદાવાદમાં છાશવારે હુલ્લડ થતાં, છેલ્લા 22 વર્ષમાં કોઈ યુવાને આ શબ્દ સાંભળ્યો નથી: મહેસાણામાં PM મોદી
Big day for Modhera as it takes a giant leap towards harnessing solar power. https://t.co/2GCyM5vAzd
— Narendra Modi (@narendramodi) October 9, 2022
PM મોદીનું સંબોધન: મોઢેરાના લોકોને બે હાથમાં લાડુ, સૌરઉર્જાથી બિલ શૂન્ય થયું, સાથે સરકારને વેચી આવક પણ ઊભી કરી
आज मोढेरा के लिए मेहसाणा के लिए और पूरे उत्तर गुजरात के लिए विकास की नई ऊर्जा का संचार हुआ है। बिजली पानी से लेकर रोड, रेल तक डेयरी से लेकर कौशल विकास और स्वास्थ्य से जुड़े अनेक परियोजनाओं का आज लोकार्पण और शिलान्यास हुआ है: प्रधानमंत्री नरेंद्र मोदी, मोढेरा, गुजरात https://t.co/hgl9jrStmU pic.twitter.com/COHRispqTY
— ANI_HindiNews (@AHindinews) October 9, 2022
5:18 PM
PM મોદીએ મહેસાણા જિલ્લાને 3092 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ, મોઢેરા સૂર્યગ્રામનું કર્યું લોકાર્પણ
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने मेहसाणा के मोढेरा में कई परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया। pic.twitter.com/6BvgcSa9si
— ANI_HindiNews (@AHindinews) October 9, 2022
મોઢેરામાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે શરદ પૂર્ણિમાના દિવસે વિકાસનો ચંદ્ર આજે સોળે કળાએ ખીલ્યો છે PM મોદી જે કામનું ખાતમુહૂર્ત કરે તે કામનું લોકાર્પણ તેમના હસ્તે જ થાય છે
અમદાવાદ એરપોર્ટથી મહેસાણા માટે જવા રવાના થયા પીએમ મોદી
ત્યારે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.આજે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ પ્રધાનમંત્રી મોદી સીધા જ મોઢેરા જવા માટે રવાના થયા છે . મહેસાણા ખાતે એક જંગી સભાને સંબોધી રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે બાદ પીએમ મોદી મોઢેરાને પ્રથમ BESS સોલર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કરશે અને મોઢેશ્વરી માતાજીના આશીર્વાદ લઈને સૂર્યમંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉ ખુલ્લો મૂકશે અને રાત્રિ રોકાણ ગાંધીનગરમાં કરશે.
Gujarat | PM Narendra Modi reaches Ahmedabad, to go to Modhera to inaugurate multiple projects & take part in various programmes
— ANI (@ANI) October 9, 2022
(Source: PMO) pic.twitter.com/Tw988y3WzY
રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
આ વિકાસકાર્યોમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે, તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આજે મોઢેરા ખાતેથી થનાર અનેકવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થકી મહેસાણા જીલ્લામાં વ્યાપશે વિકાસની મહેક.#ગુજરાતના_દિલમાં_મોદી pic.twitter.com/wlpJejZn6l
— CMO Gujarat (@CMOGuj) October 9, 2022
રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત
સાથે જ, રૂ.1181.34 કરોડના ખર્ચે NH-68 ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ.110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ.106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂ.2893.02 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે.
સોમવારે પ્રધાનમંત્રી મોદી આમોદ તથા અડાલજમાં બે સભાઓને ગજવશે અને સાંજે જામનગરમાં પણ સંબોધન કરી ત્યાં જ રાત્રિરોકાણ કરશે. મંગળવારે જયેશ રાદડિયાના ગઢ જામકંડોરણામાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોઢ લાખથી પણ વધુ લોકો આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તે બાદ અમદાવાદ સિવિલનો એક કાર્યક્રમ પતાવી પ્રધાનમંત્રી મોદી મધ્ય પ્રદેશ જવા રવાના થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime