બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:48 AM, 28 February 2024
કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ખેડૂતોના વિકાસ અને આર્થિક ઉન્નતિ માટે PM કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. હાલમાં કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આજે ખેડૂતોના ખાતામાં PM કિસાન સમ્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જમા થઈ થશે. આ યોજના હેઠળ જ્યારે પણ હપ્તો જમા થાય ત્યારે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા થાય છે.
ADVERTISEMENT
આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા જમા થાય છે. આ સ્કીમનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ક્યાંય પણ જવાની જરૂર નથી. સરકાર CBDTની મદદથી ખેડૂતોના ખાતામાં આ રકમ જમા કરે છે. ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં 6,000 રૂપિયાની રકમ એટલે કે, એક હપ્તામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે. સરકાર દર વર્ષે 3 હપ્તામાં આ રકમ જમા કરે છે.
આ ખેડૂતોને લાભ નહીં મળે
હાલમાં કરોડો ખેડૂતો આ સ્કીમનો લાભ લઈ રહ્યા છે. ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. સરકારે આ યોજનાનો લાભ મેળવવા માટે E-KYC અને જમીનનું વેરિફિકેશન જરૂરી કરી દીધું છે. જે ખેડૂતોએ હજુ સુધી E-KYC અને જમીનનું વેરિફિકેશન કર્યું નથી તે ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. ખેડૂતો OTPની મદદથી સરળતાથી E-KYC કરાવી શકે છે. જમીનના વેરિફિકેશન માટે સરળતાથી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
E-KYC સ્ટેટસ ચેક કેવી રીતે કરવું?
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.