બ્રેકિંગ ન્યુઝ
VTV / pm kisan these farmers will not get the upcoming 11th installment
ADVERTISEMENT
પીએમ કિસાન સમ્માન નિધિનો 11મો હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાનના પૈસા ખાતામાં આવશે કે નહીં? આગામી હપ્તો એટલે કે એપ્રિલ-જુલાઇના 2 હજાર રૂપિયા ક્યાંક અટકી તો નહીં જાય ને? જેવાં તમામ સવાલો ખેડૂતોના મનમાં ઉભા થયા છે. ત્યારે આ સવાલોના સાચા જવાબ શોધતા પહેલાં તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારેોએ હજુ સુધી આ મામલે અપ્રુવલ એટલે કે મંજૂરી નથી આપી. જો તમે તમારું સ્ટેટસ ચેક કરશો તો હાલમાં Waiting for approval by state એવું દેખાશે.
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમામ જમીન ધારક ખેડૂત પરિવારોને રૂ. 2000-2000 નાં ત્રણ સમાન હપ્તામાં પ્રતિ વર્ષ રૂ. 6,000/- ની આવક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ કોરોના મહામારી દરમિયાન 1.30 લાખ કરોડ રૂપિયાની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધીમાં 11.78 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે અને આ ખેડૂતોના ખાતામાં કુલ 1.82 લાખ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યાં છે. જો કે, પીએમ કિસાન પોર્ટલ અનુસાર, આ યોજના હેઠળ 12.50 કરોડથી વધુ ખેડૂતો નોંધાયેલા છે.

ADVERTISEMENT
શું પતિ-પત્ની બંનેને મળી શકે હપ્તો?
ઘણી વાર એવો સવાલ થતો હોય છે કે શું પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકે? તો જવાબ છે ના. જો કોઈ આવું કરશે તો સરકાર તેની પાસેથી વસૂલ કરશે.
ADVERTISEMENT
કરદાતાઓના હપ્તા થઈ જશે બંધ
એ સિવાય જો ખેડૂત પરિવારમાં કોઈ ટેક્સ ચૂકવે છે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે જો પતિ કે પત્નીમાંથી કોઈએ ગયા વર્ષે આવકવેરો ભર્યો હોય તો તેને આ યોજનાનો લાભ નહીં મળે.
ADVERTISEMENT

આમને પણ નહીં મળે આ યોજનાનો લાભ
ADVERTISEMENT
આ સાથે, જે લોકો ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યના બદલે અન્ય કામો માટે કરી રહ્યાં છે અથવા તો અન્યના ખેતરોમાં ખેતીનું કામ કરે છે, પરંતુ તેઓ ખેતરના માલિક નથી. આવાં ખેડૂતો પણ આ યોજનાનો લાભ નહીં લઇ શકે.
જો કોઈ ખેડૂત ખેતી કરે છે, પરંતુ ખેતર તેના નામે નથી તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. જો ખેતર તેના પિતા કે દાદાના નામે હોય તો પણ તે આ યોજનાનો લાભ નહીં લઈ શકે.
જો કોઈ વ્યક્તિ ખેતીની જમીનનો માલિક છે, પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા તો તે નિવૃત્ત થઇ ચૂક્યાં છે, વર્તમાન અથવા તો ભૂતપૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી તેઓને પણ આ પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળી શકે.
આ લોકોને પણ નહીં મળે આ લાભ
પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટ, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અથવા તેમના પરિવારના સભ્યો પણ અયોગ્ય લોકોની યાદીમાં આવે છે.
ખેડૂત હોવા છતાં જો તમને દર મહિને 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મળે છે તો તમે આ યોજનાના લાભાર્થી નહીં બની શકો. આવકવેરા ભરનારા પરિવારોને પણ આ યોજનાનો લાભ નહીં મળે.
हमारे किसान भाई-बहनों पर देश को गर्व है। ये जितना सशक्त होंगे, नया भारत भी उतना ही समृद्ध होगा। मुझे खुशी है कि पीएम किसान सम्मान निधि और कृषि से जुड़ी अन्य योजनाएं देश के करोड़ों किसानों को नई ताकत दे रही हैं। pic.twitter.com/xMSrBrbLT5
— Narendra Modi (@narendramodi) April 10, 2022
પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી માહિતી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, કે દેશને આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પર ગર્વ છે. તેઓ જેટલા મજબૂત હશે તેટલું જ નવું ભારત વધુ સમૃદ્ધ થશે. મને ખુશી છે કે પીએમ કિસાન સન્માન નિધિ અને કૃષિ સંબંધિત અન્ય યોજનાઓ દેશના કરોડો ખેડૂતોને નવી શક્તિ આપી રહી છે.
11મો હપ્તો ક્યારે આવશે?
પીએમ કિસાન યોજના હેઠળ 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે ખેડૂતોને વર્ષના પ્રથમ હપ્તાના પૈસા આપવામાં આવે છે. તે જ સમયે, બીજા હપ્તાના પૈસા 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આપવામાં આવે છે. આ સિવાય ત્રીજા હપ્તાના પૈસા 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે આ મહિનામાં જ આગામી એટલે કે 11 હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
હપ્તો મેળવવા માટે e-KYC જરુરી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે 3 હપ્તામાં 6 હજાર રૂપિયા જમા કરે છે. જેનાથી ખેડૂતોને આર્થિક મદદ મળે છે. જો કે તમને જણાવી દઇએ કે, ઈ-કેવાયસી કરાવ્યા બાદ જ તમને આ યોજના હેઠળ પૈસા મળશે. જેની માટે તમારે પીએમ કિસાનના ઓનલાઈન પોર્ટલ પર જઈને તમારી માહિતી ભરવાની રહેશે. જો કે, સરકારે ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવી છે. પીએમ કિસાન યોજનાના ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ અગાઉ 31 માર્ચ હતી જે હવે વધારીને 22 મે, 2022 કરી દેવાઇ છે.
આ રીતે કરાવો e-KYC
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.