બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'રાજકોટ જા' મોતે આવું કહ્યું હશે એટલે MPથી આવ્યાં કે તરત સગીર પુત્રે પિતાને 'ઉપર' મોકલી દીધાં, બનાવ જાણીને કંપી જશો
Last Updated: 11:08 PM, 5 August 2026
કહેવાય છે કે માણસનું મોત જે ઠેકાણે લખેલું હોય તે ઠેકાણે માણસ જાતે જ અને ટાઈમસર પહોંચી જાય છે. આ વાત વધુ એક વાર સાબિત થઈ છે. જે પુત્રને જીવ આપ્યું તેણે જ પોતાનો જીવ આંચકી લીધો. રાજકોટમાં એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. કણકોટ ગામમાં એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. કણકોટ ગામ નજીક નિર્માણાધીન સરદારધામની સાઇટ પર સગીર પુત્રે ગળું દબાવીને પિતાની હત્યા કરી નાખી હતી. હકીકતમાં દારુના બંધાણી પિતા માતાને મારી રહ્યાં હતા ત્યારે વચ્ચે પડેલા પુત્રે પિતાનું ગળું દબાવી દીધું હતું.
ADVERTISEMENT
શું હતો આખો બનાવ
મૂળ મધ્યપ્રદેશના વતની એવી નાની ડામોર નામની મહિલા તેના સગીર પુત્ર સાથે સરદારધામની સાઇટ પર મજૂરી કામ કરતા હતા અને સાઇટ પર આવેલી ઓરડીમાં રહેતા હતા. નાની ડામોરના પતિ ભરતસિંહ ડામોર 5 ઓગસ્ટે મધ્યપ્રદેશથી રાજકોટ આવ્યો હતો. ભરતસિંહ દારુનો બંધાણી હતો અને આવ્યો ત્યારે પણ તેણે દારુ પીને પત્ની સાથે ઝગડો કર્યો હતો. માતાને માર ખાતી જોઈ સગીર પુત્ર વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન પિતા અને પુત્ર વચ્ચે ઝપાઝપી થતાં મામલો વણસ્યો હતો. ઝપાઝપી દરમિયાન સગીર પુત્રે ભરતસિંગનું ગળું દબાવી દીધું હતું.
ADVERTISEMENT
સ્થળ પરથી જ પુત્રની ધરપકડ
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પરથી પુત્રની ધરપકડ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.