બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / pitru paksha 2022 date tithi shubh sanyoga 16 shradha dates 2022

Pitru Paksha 2022 / પિતૃપક્ષમાં આ દિવસે નહીં થાય શ્રાદ્ધ! 12 વર્ષ બાદ બની રહ્યો છે આ ખાસ સંયોગ, જાણો તર્પણ માટે તારીખો

Arohi

Last Updated: 05:42 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે 10મી સપ્ટેમ્બર 2022થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. આ વખતે 12 વર્ષ બાદ પિતૃપક્ષમાં ખાસ સંયોગ બન્યો છે. જાણો પિતૃ પક્ષની મહત્વની તિથિઓ.

  • 10મી સપ્ટેમ્બર 2022થી થશે પિતૃપક્ષની શરૂઆત 
  • 12 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ 
  • જાણો પિતૃ પક્ષની મહત્વપૂર્ણ તિથિઓ

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે 10મી સપ્ટેમ્બર 2022થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. સામાન્ય રીતે શ્રાદ્ધ 15 દિવસનું હોય છે. પરંતુ આ વખતે 12 વર્ષ પછી એવો સંયોગ બન્યો છે કે વર્ષ 2022માં શ્રાદ્ધના 16 દિવસ હશે.

25 સપ્ટેમ્બર, 2022ના રોજ પિતૃ પક્ષ સર્વ પિતૃ અમાસ સાથે સમાપ્ત થશે. આ વખતે શ્રાદ્ધ પક્ષમાં એવો દિવસ છે જેમાં તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવશે નહીં. ચાલો જાણીએ પિતૃ પક્ષની મહત્વની તિથિઓ.

પિતૃ પક્ષ 2022 સંયોગ
પંચાંગ અનુસાર આ વખતે પ્રતિપદા અને પૂર્ણિમા શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2022ના રોજ પિતૃ પક્ષમાં એકસાથે થશે. આ વખતે 16 દિવસનું શ્રાદ્ધ રહેશે. સપ્તમી શ્રાદ્ધ 16 સપ્ટેમ્બરે થશે. 17 સપ્ટેમ્બરે તિથિ ક્ષય હોવાને કારણે આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ થશે નહીં. 

અષ્ટમી શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરે થશે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં મૃતકના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિએ પિંડ દાન અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જો તિથિ યાદ ન હોય તો મહાલય અમાસ (સર્વ પિતૃ અમાસ 2022) પર પણ શ્રાદ્ધ કરો, તેનાથી તેમને સંતોષ મળે છે.

શ્રાદ્ધ 2022ની મહત્વપૂર્ણ તારીખો 

  • 10 સપ્ટેમ્બર- આસો માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદા અને પૂર્ણિમાએ પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પહેલા દિવસે અગસ્ત મુનિ અને ઋષિઓના નામે પણ તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ. 
  • 11 સપ્ટેમ્બર- આસો માસની કૃષ્ણ પક્ષની બીજી તિથિ પર પૂર્વજોનું શ્રીદ્ધ કરવીમાં આવશે. 
  • 12 સપ્ટેમ્બર- જેમનું દેહાંત તીજ પર થયું હોય તેમનુ તર્પણ આ દિવસે કરવામાં આવશે. 
  • 13 સપ્ટેમ્બર- પિતૃ પક્ષ ચતુર્થી તિથિ આ દિવસે છે. જેમનું સ્વર્ગવાસ ચોથ પર થયું હોય તેમના પરિજન આ દિવસે તેમનું શ્રાદ્ધ કરી શકે છે. 
  • 14 સપ્ટેમ્બર- પિતૃપક્ષની પંચમીએ કુંવારા પંચમી શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે અપરિણીત લોકો માટે શ્રાદ્ધ કરવાનું વિધાન છે.
  • 15 સપ્ટેમ્બર - જેનું મૃત્યુ ષષ્ઠી તિથિએ થયું છે, તેમનું શ્રાદ્ધ ષષ્ઠી તિથિએ કરવામાં આવે છે.
  • 16 સપ્ટેમ્બર- પિતૃ પક્ષ ચતુર્થી સપ્તમી તિથિનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવશે.
  • 17 સપ્ટેમ્બર- આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવશે નહીં
  • 18 સપ્ટેમ્બર- જેનું મૃત્યુ અષ્ટમી તિથીએ થયું છે. તેમનું તર્પણ આ દિવસે કરવામાં આવશે.
  • 19 સપ્ટેમ્બર- આ દિવસે, નવમી તિથિના દિવસે પરલોકમાં ગયેલા સ્વજનો માટે શ્રાદ્ધ કરો. પિતૃ પક્ષની નવમી તિથિને માતૃ નવમી તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ અને માતાઓ માટે તર્પણ શ્રાદ્ધ કરવામાં આવે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ