બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Vishal Khamar
Last Updated: 02:26 PM, 9 April 2024
અમદાવાદના ધોળકા નજીક આવેલું સુપ્રસિદ્ધ સુરાપુરાધામ ભોળાદ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. સુરાપુરાધામમાં શ્રદ્ધા રાખનારા લાખો ભક્તો ભોળાદ દર્શને આવે છે. તેમાં પણ ખાસ કરીને સોમવારે અને મંગળવારે તો ભક્તોની મેદની ઉમટી પડે છે. અહીં આવતા ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. જેના માટે હજારો સ્વયંસેવકો દિવસ-રાત જોયા વિના ખડે પગે સેવા કરે છે. દાદા તરીકે ખ્યાતિ પામેલા દાનભા પોતે પણ સ્વયંસેવકો સાથે લોકોની સેવામાં જોડાઈ જાય છે. હાલ ભોળાદમાં વાર્ષિક પાટોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવને ભવ્ય બનાવવા સ્વયંસેવકો જોતરાઈ ગયા છે. આગામી પાટોત્સવમાં 5 લાખથી વધુ લોકો આવવાનો ટારગેટ છે. જેને લઈને તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે. 23 એપ્રિલે થનારા પાટોત્સવને લઈને મંડપ અને પ્રસાદીઘરમાં ધમધમાટ શરૂ થયો છે.
પાટોત્સવ દરમ્યાન 24 કલાક રસોડું ચાલુ રહેશેઃ સ્વયંસેવક
આ બાબતે સ્વયંસેવક ધ્રુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આપણે આ ત્રણ દિવસ તો રસોડું ચાલુ જ રહેતું હોય છે. પણ આ પાટોત્સવમાં આપણે કોઈ ટાર્ગેટ લઈને નથી ચાલતા. ત્યારે 24 કલાક રસોડું ચાલું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણું આયોજન પાંચ થી સાત લાખનું છે. તેમજ 24 કલાક રસોડું ચાલુ રહેશે. પાટોત્સવ સાંજે ચાલુ થશે. બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી આપણું રસોડું ચાલુ રહેશે.
વધુ વાંચોઃ રાજકોટમાં પરશોત્તમ રૂપાલા સામે ધાનાણી લડશે ચૂંટણી, કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જામશે જંગ
આ વખતે પાટોત્સવમાં વિશેષ આયોજનઃ સ્વયંસેવક
સ્વયંવેસકે જણાવ્યું હતું કે, આ વખતે પાટોત્સવનું જે આયોજન થયું છે. તો જોરદાર રીતે કામ થઈ રહ્યું છે. તે સાત વર્ષથી જે પાટોત્સવ થાય છે. તેનાથી અલગ પાટોત્સવ થશે. જે લોકો અહીંયા આવશે જોવા માટે આ વખતે પાટોત્સવમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime