બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / મનોરંજન / બોલિવૂડ / parineeti leaves delhi after three days of engagement actress shared photo
Bijal Vyas
Last Updated: 09:54 PM, 16 May 2023
Parineeti Chopra Post: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ 13 મે 2023ના રોજ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. બંનેની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં અનેક રાજનેતાઓ સાથે બોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. સાથે જ સગાઈના ત્રણ દિવસ બાદ પરિણીતી દિલ્હી છોડીને મુંબઈ જવા રવાના થઈ ગઈ છે. જેની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા બધાને આપી હતી.
પરિણીતિએ શેર કરી દિલ્હીની તસ્વીર
હકીકતમાં પરિણીતી ચોપરાએ થોડા સમય પહેલા દિલ્હીને બાય બાય કહ્યું છે. ત્યાં દિલ્હી અને તેના જીવનના પ્રેમ રાઘવને વિદાય આપતા પહેલા, પરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર શહેરની એક તસવીર પણ શેર કરી છે. જેની સાથે તેણે લખ્યું- બાય બાય દિલ્હી... મારા દિલને પાછળ છોડીને... પરીના આ કેપ્શનને જોઈને સ્પષ્ટપણે કહી શકાય છે કે તે તેના ભાવિ પતિ રાઘવને ખૂબ જ મિસ કરવાની છે.
ઝડપથી લગ્નના બંધનમાં બંધાશે આ કપલ
પરી અને રાઘવ સગાઈ બાદ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જેના માટે અભિનેત્રીએ તેની કઝીન અને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને મહત્વની જવાબદારી સોંપી છે. હકીકતમાં, પ્રિયંકાએ પરી અને રાઘવને અભિનંદન આપવા માટે તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પ્રિયંકાની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં પરીએ લખ્યું કે - 'મીમી દીદી, ટૂંક સમયમાં જ તમે છોકરીઓવાળાની ડ્યુટી નિભાવવી રહ્યા છો... તૈયાર થઈ જાઓ...'
ઉલ્લેખનીય કે, પરિણીતી અને રાઘવ વચ્ચેના સંબંધોનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે બંને સતત લંચ અને ડિનર ડેટ પર જોવા મળતા હતા. જ્યારે કપલ આઈપીએલ મેચ જોવા ગયા ત્યારે તેમની એક રોમેન્ટિક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ તેમના સંબંધો પર મહોર મારી દેવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime