બ્રેકિંગ ન્યુઝ
ચૂંટણીની સિઝન જામી છે. નેતાઓ મોટા મોટા ભાષણ ફેંકી રહ્યાં છે. આ પ્રસંગે 1952ની ચૂંટણીનો એક પ્રસંગ યાદ કરવા જેવો છે. આ બનાવ બાદ એવી અફવા ફેલાઈ હતી કે પંડિત નહેરુ પશુ-પંખીની ભાષા જાણે છે.
ADVERTISEMENT
1952માં ફતેહપુરમાં બની હતી ઘટના
પંડિત નહેરુ 1952માં લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ખાગાના પાકા તલાબ પહોંચ્યા હતા. જે પાકા તળાવના મેદાનમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આમલીના ઘણા મોટા અને ખૂબ જૂના વૃક્ષો હતા. આ આમલીનાં ઝાડ પર હંમેશાં મોટાં મોટાં ચામાચીડિયાં લટકતાં રહેતાં હતાં. જાહેરસભાના દિવસે જ્યારે મેદાનમાં ભારે ભીડ એકઠી થઈ ત્યારે ચામાચીડિયા અસહજ થઈ ગયા હતા અને મોટા અવાજે ઊડવા લાગ્યા હતા. કેટલાક નેતાઓએ ચામાચીડિયાના ઘોંઘાટ વચ્ચે પોતાના ભાષણો આપ્યા અને પોતાની બેઠકો પર બેસી ગયા. હવે પંડિત નેહરુનો વારો હતો ભાષણ આપવાનો. પંડિત નહેરુ માઈક પર ભાષણ આપવા માટે આવ્યા કે તરત જ અચાનક ચામાચીડિયા પહેલા કરતા વધુ અવાજ કરવા લાગ્યા. ભાઈઓ અને બહેનો કહ્યા પછી પંડિત નેહરુ થોડીવાર માટે રોકાયા. ખરેખર, ચામાચીડિયાનો અવાજ એકદમ મોટો થઈ ગયો હતો. આ કારણે પંડિત જવાહરલાલ નહેરુ પોતાની વાતમાં અડચણ અનુભવતા હતા. વળી, ચામાચીડિયાંની ઝડપથી ઊડતી ઊડતી હોવાને કારણે જાહેર સભામાં એકઠા થયેલા લોકો પણ તેમની તરફ ધ્યાન આપી શક્યા ન હતા. ભાષણમાં વિક્ષેપને કારણે પંડિત નેહરુનો પારો વધ્યો હતો. ગુસ્સે ભરાયેલા પંડિત નેહરુએ વૃક્ષો તરફ હાથ જોડીને મોટેથી કહ્યું, મહેરબાની કરીને મૌન પાળો, હું દૂરથી બોલવા આવ્યો છું. પહેલાં મને બોલવા દો, પછી તમે તમારા મુદ્દા રજૂ કરશો. આ વાત બાદ તરત ચામાચીડિયા ચૂપ થઈ ગયાં હતા.
ADVERTISEMENT
અફવા ફેલાઈ પંડિત નેહરુ પશુ-પંખીઓની ભાષા જાણે છે
પંડિત નહેરુની આ વાત પર લોકો જોરજોરથી હસવા લાગ્યા તો સ્ટેજ પર બેઠેલા તમામ કોંગ્રેસી નેતાઓ ચોંકી ગયા કે પંડિતજી શું કરી રહ્યા છે. આ પછી સમગ્ર ફતેહપુર વિસ્તારમાં આ વાત દાવાનળની જેમ ફેલાઈ ગઈ કે વડાપ્રધાન નહેરુ પણ પશુ- પંખીઓ અને પ્રાણીઓ સાથે વાત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.