બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Panchmahal: School children forced to study in the open, when will the new class rooms be built?
Last Updated: 12:17 PM, 20 April 2024
ADVERTISEMENT
હાલ અંગ દઝાડતી કાળઝાળ ગરમી આપણી પરીક્ષા લઈ રહી છે. પરંતુ આ ભૂલકાઓને શિક્ષણતંત્ર તો જાણે આ ભૂલકાઓની સહનશક્તિની બારેમાસ પરીક્ષા લઈ રહ્યું છે. રાજ્યમાં શિક્ષણવિભાગના અનેક દાવાઓની પોલ ખુલી જવા પામી છે. પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલી ખાનપાટલા સરકારી પ્રાથમિક શાળાના છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ શાળાના રૂમ જર્જરિત છે અને બાળકો ટાઢ, તાપ, અને વરસાદ જેવી ઋતુમાં આ રીતે ભણવા મજબૂર છે. એક તરફ સરકાર દ્વારા રાજ્યમાં સ્માર્ટ અને ડિજિટલ ક્લાસરૂમ ઊભા કરવાની જાહેરાતો કરવામાં આવે છે, તો આ તરફ વર્ષો બાદ પણ આ શાળાના જર્જરિત ઓરડાને હટાવી નવા ઓરડા ઊભા કરવાની તંત્ર પાસે ફુરસદ નથી. આ શાળાના જર્જરિત ઓરડા તોડીને નવા સાત ઓરડા બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. એટલું જ નહીં ઓરડા બનાવવા પાયાની કામગીરી પણ થઈ ચૂકી છે. પરંતુ ત્યાર બાદ આગળની કામગીરીનું હજુ સુધી મુહૂર્ત નીકળ્યું નથી. જેથી સ્થિતિ એ ઉભી થઈ છે કે, બાળકોને નજીકના રહેણાંક મકાન, ગ્રામ પંચાયત કચેરી કે સમાજ વાડીમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
ઓરડાનાં અભાવે શિક્ષકોએ બે શિફ્ટમાં શાળા ચલાવવાની ફરજ પડી છે
એક તરફ સરકાર દ્વારા બાળકોને શાળા તરફ આકર્ષવા વિવિધ કાર્યક્રમો ચલાવાય છે. તો બીજી તરફ સરકારી તંત્ર જ અહીં પોતાની ફરજમાં ક્યાક ચૂક ખાઈ રહ્યું છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા વિના જ વિદ્યાર્થીઓને આ જર્જરિત ઓરડામાં નહીં બેસવા દેવાનો હુકમ કરી દીધો. આથી બાળકો દરેક ઋતુમાં આ રીતે ભણવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં ઓરડાના અભાવે શિક્ષકોએ પણ શાળા બે શિફ્ટમાં ચલાવવાની ફરજ પડી છે.

ADVERTISEMENT
મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં લઈ રહ્યા છે
સરકાર દ્વારા આ વિસ્તારના બાળકોના આરોગ્ય, તંદુરસ્તી અને સ્વાસ્થ્યની ચિંતા કરી મધ્યાહન ભોજન તો આપવામાં આવી રહ્યું છે. પરંતુ ખાનપાટલા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં લઈ રહ્યા છે.

ADVERTISEMENT
વધુ વાંચોઃ 5 વર્ષમાં CR પાટીલની મિલકત 2 કરોડ વધી તો પત્નીની મિલકત 7.78 કરોડ ઘટી, જાણો કેટલી છે કુલ સંપત્તિ
ઓરડામાં નહી બેસવાનાં હુકમથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે
આ શાળાના ઓરડા કદાચ સો વર્ષ જૂના છે. ત્યાં બેસવું હવે મોતને આમંત્રણ આપવા જેવું છે. આ વાત સમજતા તંત્રને આટલા બધા વર્ષો વીતી ગયા છે. પરંતુ હવે તે ઓરડામાં નહીં બેસવાના હુકમથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. તે ખોટ ક્યારે પુરાશે તેનો જવાબ કોઈ પાસે નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.