દેશના નાગરિકોના પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મોટી જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
PAN કાર્ડને લઈને ફરીથી રાહત આપવામાં આવી
સરકારે PAN અને આધાર લિન્ક કરવાની ડેડલાઇન લંબાવી
સરકારે ફરી આપી રાહત
દેશના નાગરિકોના પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મોટી જાહેરાત કરી છે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લીંક કરવાની ડેડલાઇન ફરીથી લંબાવી દેવામાં આવી છે.
સરકારની ફરી મોટી રાહત
સરકારે PAN CARD અને આધાર કાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખને ત્રણ મહિના સુધી લંબાવી દીધી છે. હવે દેશના નાગરિકોને પાન કાર્ડ અને આધાર કાર્ડને લીંક કરવા માટે 30 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય છે.
જૉ લિન્ક ન કર્યુ તો પાન કાર્ડ થઈ જશે બંધ
નોંધનીય છે કે સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે કે જૉ પાન કાર્ડ અને આધાર કાર્ડને જૉ લિન્કમાં કરવામાં ન આવે તો પાન કાર્ડ ઈનઓપરેટિવ થઈ જશે અને વ્યક્તિ પાન કાર્ડને લગતા કોઈ વ્યવહાર કરી શકશે નહીં. સાથે જ દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિન્ક કરવામાં ના આવે તો એક હજાર રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.