બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનની ભારતને ધમકી, 'પાણી રોકવાનો પ્રયાસ કરશો તો હાથ કાપી નાખીશું',
Last Updated: 01:28 PM, 30 June 2026
સિંધુ જળ સંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે પાકિસ્તાનના આબોહવા પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે ભારતને લઈને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનના હિસ્સાના પાણી પર કોઈ હાથ નાખવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન તેનો કડક જવાબ આપશે. તેમના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા જળ વિવાદને લઈને ચર્ચા વધુ તેજ બની છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મુસાદિક મલિકનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને લઈને તણાવ વધ્યો છે. ભારતે પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ હેઠળની કેટલીક સહયોગી પ્રક્રિયાઓને અસ્થાયી રીતે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે.
ADVERTISEMENT
માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરાર સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં મુસાદિક મલિકે કહ્યું કે પાકિસ્તાન પોતાના પાણીના હક્કોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના પાણીમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ સ્વીકારવામાં આવશે નહીં. તેમના નિવેદન દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતાના હકોની રક્ષા કરવા માટે જરૂરી તમામ પગલાં ભરશે.
ADVERTISEMENT
મુસાદિક મલિકે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનનું માનવું છે કે ઉપરવાસમાં આવેલા દેશને નીચેવાસમાં આવેલા દેશના પાણીના પ્રવાહને રોકવાનો અધિકાર નથી. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન પોતાના હિસ્સાના પાણીની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને સંધિ હેઠળ મળતા પાણીના પ્રવાહમાં કોઈ અવરોધ સ્વીકારશે નહીં.
ADVERTISEMENT
બીજી તરફ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે સિંધુ નદીનું સંપૂર્ણ પાણી રોક્યું નથી. સિંધુ નદી અને તેની ઉપનદીઓનો પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ યથાવત ચાલુ છે. જોકે, ભારતે સિંધુ જળ સંધિ હેઠળ બંને દેશો વચ્ચે ચાલતી સહયોગ વ્યવસ્થાને સ્થગિત કરી છે. અગાઉ બંને દેશો પાણીના પ્રવાહ, બંધ, વિવિધ પ્રોજેક્ટ અને જળ વ્યવસ્થાપન અંગે નિયમિત માહિતી અને સંદેશાઓની આપ-લે કરતા હતા, જે હાલ સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગણેશ ગોંડલની મુશ્કેલી વધી શકે, હાઈકોર્ટમાં CCTVને લઈ મોટો દાવો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સંધિ વર્ષ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી, જેમાં વિશ્વ બેંકે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. આ સંધિનો મુખ્ય હેતુ સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીની વહેંચણી માટે સ્પષ્ટ વ્યવસ્થા ઉભી કરવાનો હતો. આ કરાર હેઠળ કઈ નદીનું પાણી કયા દેશને મળશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી આ સંધિ બંને દેશો વચ્ચે પાણીના વિતરણનું મુખ્ય આધારસ્તંભ રહી છે, પરંતુ હાલના તણાવ વચ્ચે આ મુદ્દો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.