બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:32 PM, 30 June 2026
દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની બેંક યસ બેંકે પોતાની મૂડી મજબૂત બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. બેંકના બોર્ડે કુલ ₹16,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ યસ બેંકના શેર પર રોકાણકારોની નજર ટકેલી છે અને આગામી દિવસોમાં શેરના પ્રદર્શન પર તેની અસર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
યસ બેંક દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, બેંક ₹7,500 કરોડ ઇક્વિટી શેર અથવા અન્ય મંજૂર ઇક્વિટી સાધનો દ્વારા ઊભા કરશે, જ્યારે ₹8,500 કરોડ ડેટ સિક્યોરિટીઝ (બોન્ડ સહિતના સાધનો) દ્વારા એકત્ર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા શેરધારકો તેમજ સંબંધિત નિયમનકારી સત્તાઓની મંજૂરી બાદ અમલમાં આવશે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે ઇક્વિટી ઇશ્યૂને કારણે હાલના શેરધારકોની હિસ્સેદારીમાં કુલ ઘટાડો 10 ટકાથી વધુ નહીં થાય.
ADVERTISEMENT
બેંકિંગ ક્ષેત્રમાં મૂડી (Capital) મજબૂત હોવી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વધારાની મૂડી મળવાથી બેંકને વધુ લોન આપવાની ક્ષમતા વધે છે, નવા ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપી શકાય છે અને ભવિષ્યમાં સંભવિત નાણાકીય જોખમો સામે પણ સુરક્ષા મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ફંડરેઇઝિંગ યસ બેંકના વિકાસ અને લાંબા ગાળાની સ્થિરતા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
બેંકના બોર્ડે 22મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બોલાવવાનો પણ નિર્ણય લીધો છે, જે 19 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે. ફંડ એકત્ર કરવાની યોજના શેરધારકોની મંજૂરી માટે આ બેઠકમાં રજૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
તાજેતરમાં જાપાનની Sumitomo Mitsui Banking Corporation (SMBC) દ્વારા યસ બેંકમાં વ્યૂહાત્મક હિસ્સેદારી મેળવવાની જાહેરાત બાદ બેંક સતત વિસ્તરણ અને મૂડી મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહી છે. નવા ફંડથી બેંક પોતાની બેલેન્સ શીટ વધુ મજબૂત બનાવી શકશે તેમજ કોર્પોરેટ, MSME અને રિટેલ લોન પોર્ટફોલિયોનો વિસ્તાર કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો- રાજીવ કુમારને મળી મોટી જવાબદારી, 3 વર્ષ માટે HDFC Bank ના ચેરમેન બન્યા
ADVERTISEMENT
ફંડરેઇઝિંગ જેવી જાહેરાતો સામાન્ય રીતે બેંકના ભવિષ્યના વિકાસ માટે સકારાત્મક માનવામાં આવે છે. જોકે ઇક્વિટી ઇશ્યૂ થવાથી હાલના શેરધારકોની હિસ્સેદારીમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ બેંકે આ ડાયલ્યુશનની મર્યાદા 10 ટકા સુધી જ રાખવાનો નિર્ણય લીધો છે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે જો બેંક આ મૂડીનો અસરકારક ઉપયોગ કરશે તો લાંબા ગાળે તેના વ્યવસાય અને નફાકારકતા બંનેમાં વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
બેંકમાં પ્રમોટર્સ પાસે કોઈ હિસ્સો નથી. જ્યારે સૌથી વધુ હિસ્સો FII એટલે કે વિદેશી રોકાણકારો પાસે છે. ટ્રેંડલાઈન મુજબ, FII પાસે માર્ચ 2026 સુધી બેંકની 46.4%ની ભાગીદારી હતી. DII પાસે બેંકનો 21.8% હિસ્સો હતો અને શેરહોલ્ડર્સ પાસે 31.7% હિસ્સો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.