બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:54 PM, 30 June 2026
HDFC બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને પૂર્વ નાણા સચિવ રાજીવ કુમારને ત્રણ વર્ષ માટે પોતાના પાર્ટ-ટાઈમ ચેરમેન નિયુક્ત કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFC બેંકે ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર અને પૂર્વ નાણા સચિવ રાજીવ કુમારને પોતાના પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.
ADVERTISEMENT
બોર્ડે તેમને ચાર વર્ષ માટે એડિશનલ સ્વતંત્ર ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે, જે આજે 30 જૂન 2026થી પ્રભાવી ગણાશે. આ નિર્ણય હાલ શેરધારકોની મંજૂરીને આધીન રહીને છે. આ ઉપરાંત તેઓ આગલા ત્રણ વર્ષ માટે પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે. જો કે ભારતીય રિઝર્વ બેંક તરફથી હજી સુધી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
રાજીવ કુમાર 1984 બેંકના પૂર્વ IAS અધિકારી છે જેઓ ભારતના મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. વર્ષ 2017-2020 દરમિયાન તેઓ દેશના નાણા સચિવ રહી ચૂક્યા છે. તેઓ રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ અને ભારતીય સ્ટેટ બેંકના બોર્ડના સભ્ય પણ રહી ચૂક્યા છે.
ભારતના 25 મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે તેમણે લોકસભા ચૂંટણી 2024 સંપન્ન કરાવી હતી. આ ઉપરાંત તેમણે સરકારી બેંકોના મર્જર અને 3 લાખ કરોડથી વધુના રીકૈપિટલાઈઝેશન જેવા કેટલાય મહત્વના નિર્ણયો લાગૂ કરાવ્યા હતા. તેઓ બેંકના પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તીની જગ્યા લેશે.
ADVERTISEMENT
માર્ચ 2026માં HDFC Bank ના પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તીએ ઓચિંતું રાજીનામું આપી દીધું હતું, જે બાદ એચડીએફસી બેંકની લીડરશિપને લઈ અનિશ્ચિતતા બની હતી, પરંતુ હવે રાજીવ કુમારની નિયુક્તિ સાથે બેંકમાં કૉર્પોરેટ ગવર્નેંસને લઈ ચિંતાઓ દૂર થવાની ઉમ્મીદ છે.
ADVERTISEMENT
પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તીએ 18 માર્ચ 2026ના રોજ મૂલ્યો અને નૈતિકતાનો હવાલો આપી પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું. પોતાના રાજીનામામાં તેમમે લખ્યું હતું કે, બેંકમાં કેટલીક એવી ઘટનાઓ બની છે અથવા તો કામકાજની અમુક એવી રીતો છે, જે તેમના મૂલ્યો અને નૈતિક સિદ્ધાંતો અનુરુપ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.