કલમ 370 દ્વારા જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ઘેરવાની કવાયતમાં લાગ્યું છે, પરંતુ તેમની આશા પ્રમાણે સફળતા નથી મળતી દેખાઇ રહી. હવે આ વાત પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ અપ્રત્યક્ષરીતે માન્યું છે કે સંયુક્ત રાષ્ટ્રમાં કોઇ સાથ આપી રહ્યું.
બકરી ઈદના સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ આજે પાક અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ જઇ અને સ્થાનિકો સાથે નમાઝ પઢી અને બકરી ઈદ મનાવી હતી.
આ દરમિયાન તેમણે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે, જુઓ, તમે જાણો છો કે દુનિયાનું કાશ્મીર સાથે પોતાનું હિત છે. મે પહેલા જ ઈશારામાં કહી દીધું કે ત્યાં 1 અરબ ડોલરનું બજાર છે.
પાક અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, આપણે મૂરખાઓના સ્વર્ગમાં ન રહેવું જોઇએ. પાકિસ્તાની અને કાશ્મીરીઓને તે જાણવું જોઇએ કે કોઇ તમારા માટે નથી ઉભું. તમારે સંઘર્ષ કરવો પડશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદે કહ્યું કે, આમ તો અમે સમુદાય અને ઇસ્લામની વાત કરીએ છીએ, પરંતુ તેમણે ત્યાં ઘણુ રોકાણ કરી રાખ્યું છે અને તેમના પોતાના ફાયદા છે.
તેમણે પાકિસ્તાનની આગળની રાહ મુશ્કેલ ગણાવતા કહ્યું કે, ભાવના વ્યક્ત કરવી ખુબ સરળ છે, મને બે મિનિટ લાગશે. 35-36 વર્ષથી રાજકારણ કરી રહ્યો છું, આ મારા માટે ડાબા હાથનું કામ છે. ભાવના વ્યક્ત કરવી સરળ છે અને વાંધો વ્યક્ત કરવો તેનાથી પણ સરળ છે. પરંતુ મામલાને આગળ લઇ જવો ઘણો કઠિન છે.
તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં કોઇ પણ હાર લઇને નથી ઉભું, અમે આના માટે સંઘર્ષ કરવો પડશે. સુરક્ષા પરિષદના 5 સ્થાયી સભ્યોમાંથી કોઇ પણ આપણા વિરૂદ્ધ જઇ શકે છે.