બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / ભારતીય હુમલામાં તબાહ થયું એરબેઝ, અનેક સૈનિકો ઘાયલ થયા, ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાને પહેલીવાર સ્વીકાર્યું
Last Updated: 01:43 AM, 29 December 2025
મે 2025માં ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાન તરફથી પહેલીવાર સત્તાવાર સ્વીકાર થયો છે. પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડારે જાહેર રીતે કબૂલ્યું છે કે ભારતીય હુમલામાં રાવલપિંડી નૂર ખાન એરબેસને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ત્યાં તૈનાત અનેક પાકિસ્તાની વાયુસેના જવાનો ઘાયલ થયા હતા. આ સ્વીકાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી પાકિસ્તાન સતત નુકસાન નકારતું આવ્યું હતું.
ADVERTISEMENT

આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ એપ્રિલ 2025માં કાશ્મીરના પહલગામ વિસ્તારમાં આવેલી બૈસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલાથી જોડાયેલી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ અહીં 26 નિર્દોષ નાગરિકોની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો, જેના જવાબરૂપે ભારતે 7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને નષ્ટ કર્યા હતા.
ADVERTISEMENT
#WATCH | Chandigarh: On Pakistan's Foreign Minister Ishaq Dar’s statement, Lt Gen (Retd) KJS Dhillon says, "Ishaq Dar is a compulsive liar. But at the end of the day, he also tells the truth. They say that 80 drones were fired by India, and they could hit 79 of them, and only… pic.twitter.com/ONaEfpK3Xl
— ANI (@ANI) December 28, 2025
ઇશાક ડારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે ભારતે 36 કલાકની અંદર પાકિસ્તાનની હદમાં અનેક ડ્રોન મોકલ્યા હતા. તેમના દાવા મુજબ, ભારત દ્વારા મોકલાયેલા 80 ડ્રોનમાંથી 79 ડ્રોનને પાકિસ્તાની સુરક્ષા દળોએ હવામાં જ તોડી પાડ્યા હતા, જ્યારે એક ડ્રોન નૂર ખાન એરબેસ પર પડ્યો હતો. આ ડ્રોન પડવાથી એરબેસના માળખાને નુકસાન થયું હતું અને ત્યાં ફરજ પર રહેલા કેટલાક જવાનોને ઇજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT

ડારે વધુમાં જણાવ્યું કે 9 મેની રાત્રે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફના નેતૃત્વમાં સરકાર અને સૈન્ય નેતૃત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, 10 મેની વહેલી સવારે ભારતે નૂર ખાન એરબેસ પર સીધો હુમલો કર્યો, જેના પછી પાકિસ્તાને પણ જવાબી પગલાં લીધા હતા. ઇશાક ડારે એવો દાવો પણ કર્યો કે અમેરિકા અને સાઉદી અરેબિયાએ બંને દેશો વચ્ચે વધતા તણાવને ઘટાડવા માટે કૂટનિતીક પ્રયાસો કર્યા હતા.
ADVERTISEMENT
નૂર ખાન એરબેસ પાકિસ્તાન વાયુસેનાનો અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક મથક માનવામાં આવે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે જે 11 પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, તેમાં નૂર ખાન એરબેસ ઉપરાંત સરગોધા, રફીકી, જૈકોબાબાદ અને મુરીદકે જેવા મહત્વના એરબેસનો પણ સમાવેશ થાય છે. ઇશાક ડારના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હવે પરોક્ષ રીતે ભારતની સૈન્ય ક્ષમતાને સ્વીકારી રહ્યું છે.
આ નિવેદન પર ભારતીય સેના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કન્વલ જીત સિંહ ઢિલ્લોએ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઇશાક ડારને ‘ઝૂઠ બોલવાનો આદતી’ ગણાવ્યા હતા. ઢિલ્લોનના જણાવ્યા મુજબ, પાકિસ્તાની મીડિયા ગ્રુપ સમા ટીવીએ 14 ઓગસ્ટ 2025ના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન મરણ પામેલા 138 પાકિસ્તાની જવાનોને મરણોત્તર વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા હોવાનું પ્રકાશિત કર્યું હતું. તેમનું કહેવું છે કે જો 138 જવાનોને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું હોય, તો કુલ મૃત્યુઆંક 400થી 500 વચ્ચે હોવાની શક્યતા છે.
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર પછી તરત જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પણ નૂર ખાન એરબેસ પર ભારતીય હુમલાની વાત સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે સેનાપ્રમુખ જનરલ આસિમ મુનિરે 9 અને 10 મેની મધ્યરાત્રે લગભગ 2:30 વાગ્યે ફોન કરીને હુમલાની માહિતી આપી હતી. બાદમાં જુલાઈમાં તેમના સલાહકાર રાણા સનાઉલ્લાહે પણ આ વાત માની હતી કે ભારતીય બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ નૂર ખાન એરબેસ તરફ જઈ રહી હતી અને ઇસ્લામાબાદ પાસે માત્ર 30થી 45 સેકન્ડનો સમય હતો કે તે પરમાણુ વોરહેડ તો નથી લઈ જઈ રહી તેનો અંદાજ લગાવી શકાય.
આ સમગ્ર દાવાઓને મજબૂતી આપવા માટે મેક્સર ટેક્નોલોજી દ્વારા 13 મે 2025ના રોજ લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરો પણ સામે આવી હતી. આ તસવીરોમાં નૂર ખાન એરબેસ સહિત પાકિસ્તાનના ચાર મહત્વપૂર્ણ એરબેસ પર ભારે નુકસાન સ્પષ્ટ દેખાતું હતું. 25 એપ્રિલ અને 10 મે 2025ની તસવીરોની તુલનામાં એરબેસના માળખામાં થયેલું નુકસાન સ્પષ્ટપણે નજરે પડતું હતું. પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ પણ 10 મેના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું હતું કે નૂર ખાન, મુરીદકે અને રફીકી એરબેસ ભારતીય વાયુસેનાના નિશાને હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડીમાં ગુજરાતીઓને પડી મોજ, પારો ગગડીને માઈનસ 3°C
આ સ્વીકાર સાથે ઓપરેશન સિંદૂર ભારતની તાજેતરની સૈન્ય ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ અને અસરકારક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે, જેનાથી માત્ર આતંકી માળખાને જ નહીં પરંતુ પાકિસ્તાનની સૈન્ય ક્ષમતાને પણ ગંભીર ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.