બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:46 AM, 23 April 2025
Pahalgam: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બૈસરન ઘાટીમાં આતંકીઓએ પર્યટન સ્થળના ભીડભાડવાળા સ્થળે ગોળીબાર કરી દીધો, જેમાં 26 લોકોના મોત થઈ ગયા. આતંકવાદીઓએ લોકોને તેમના ધર્મ વિશે પૂછી-પૂછીને ગોળી મારી. આ હુમલામાં કાનપુરના યુવક શુભમ દ્વિવેદીનું પણ મોત થઈ ગયું. શુભમ તેની પત્ની સાથે હનીમૂન પર ગયો હતો. મળતી માહિતી મુજબ, શુભમના લગ્ન 2 મહિના પહેલા જ 12 ફેબ્રુઆરીના રોજ થયા હતા.
ADVERTISEMENT
Islamic Terrorists asked the name of her husband.
— Sunanda Roy 👑 (@SaffronSunanda) April 22, 2025
He was Hindu so they shot him.
Terror attack in Pahalgam, Jammu and Kashmir.
12 injured, 1 dead in attack.
Remember, secular Hindus, you are just Kafir for them. That's it.
Om Shanti 🙏 pic.twitter.com/ybuSMXwPw2
શુભમના પિતા સંજય દ્વિવેદી સિમેન્ટના વેપારી છે. શુભમ બુધવારે જમ્મુ અને કાશ્મીરથી પરત ફરવાનો હતો. જે સમયે આતંકવાદીઓ શુભમને મારી રહ્યા હતા, ત્યારે તેની પત્નીએ આતંકવાદીઓને કહ્યું કે મને પણ મારી નાખો, તો આતંકવાદીઓએ કહ્યું કે અમે તને નહીં મારીએ. અમે તને જીવતી છોડી રહ્યા છીએ જેથી તું જઈને પોતાની સરકારને જણાવે કે અમે શું કર્યું છે.
ADVERTISEMENT
#WATCH | Shubham Dwivedi, a resident of Kanpur, Uttar Pradesh, lost his life in the #PahalgamTerroristAttack
— ANI (@ANI) April 22, 2025
His cousin Saurabh Dwivedi in Kanpur says, "...Shubham Bhaiya got married on February 12 this year. He was in Pahalgam with his wife. My sister-in-law called my uncle and… pic.twitter.com/lgAyogQV5c
કાનપુરમાં રહેતા તેના પિતરાઈ ભાઈ સૌરભ દ્વિવેદીએ જણાવ્યું કે "શુભમના લગ્ન આ વર્ષે 12 ફેબ્રુઆરીએ જ થયા હતા. તે તેની પત્ની સાથે પહેલગામમાં હતો. મારી ભાભીએ મારા કાકાને ફોન કરીને કહ્યું કે શુભમના માથામાં ગોળી વાગી છે. એવું પણ કહ્યું કે વ્યક્તિઓના નામ પૂછ્યા પછી ગોળી મારવામાં આવી હતી... અમને માહિતી મળી છે કે બધી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી 2-3 દિવસ પછી મૃતદેહ સોંપવામાં આવશે..."
ADVERTISEMENT
સમાચાર મળતા જ ઘરમાં રોકકળ મચી ગઈ
શુભમના મૃત્યુના સમાચાર મળતા જ ઘરમાં રોકકળ મચી ગઈ. પરિવારના સભ્યોનું કહેવું છે કે આતંકવાદીઓએ જે રીતનું કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે અને મારા શુભમની હત્યા કરી છે, એવી જ રીતે સરકારે પણ તેમની પાસેથી બદલો લેવો જોઈએ. અમારા શુભમનો મૃતદેહ શક્ય તેટલી વહેલી તકે અમારા ઘરે મોકલવો જોઈએ.
ADVERTISEMENT
He was killed in front of his wife by terrorist because he was not muslim.
— 🚩Kattar Hindu🚩 (@VishalKuma70541) April 22, 2025
Totally expecting some people to say "terrorism has no relation".#Pahalgam pic.twitter.com/fbwQc2F6yh
પરિવારજનોનું કહેવું છે કે અમારા પરિવારના 10 સભ્યો પહેલગામમાં હાજર છે. તેમાંથી ઘણા બુધવાર સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે. કાનપુરથી પણ કેટલાક લોકો દિલ્હી જશે કારણ કે શુભમનો મૃતદેહ દિલ્હી આવવાની અપેક્ષા છે. આ પછી, શુભમનો પરિવાર તેના મૃતદેહને તેના વતન ગામ હાથીપુર લઈ જશે.
ADVERTISEMENT
"Bhaiya was shot in head...": Family of victim of Pahalgam terror attack recounts ordeal
— ANI Digital (@ani_digital) April 23, 2025
Read @ANI Story | https://t.co/cS9kzFxVnU#PahalgamTerroristAttack #JammuAndKashmir #Pahalgam #Kanpur pic.twitter.com/ixBF9RgA6E
જણાવી દઈએ કે મંગળવારે બપોરે કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. જેમાં 26 લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના લોકો અન્ય રાજ્યોના હતા. 2019 માં પુલવામા હુમલા પછી ઘાટીમાં આ સૌથી ઘાતક હુમલો છે. આ ઘટના બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકાવીને બુધવારે સવારે દિલ્હી પરત ફર્યા.
ADVERTISEMENT
આ પણ વાંચો: બારામૂલામાં 2 આતંકીઓ ઠાર, પહેલગામ બાદ વધુ એક હુમલાની તૈયારીમાં હતા આતંકી, સર્ચ ઓપરેશન યથાવત
દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ આતંકવાદી હુમલાને "તાજેતરના વર્ષોમાં નાગરિકો પરના કોઈપણ હુમલા કરતા ઘણો મોટો" ગણાવ્યો. મૃતકોમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.