બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હજું તો લગ્નના 2 જ મહિના થયા હતા, આતંકીઓએ પત્ની સામે જ કરી દીધી શુભમની હત્યા

પહેલગામ હુમલો / હજું તો લગ્નના 2 જ મહિના થયા હતા, આતંકીઓએ પત્ની સામે જ કરી દીધી શુભમની હત્યા

Last Updated: 10:46 AM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam: પહેલગામમાં મંગળવારે આતંકીઓએ પર્યટન સ્થળ પર ગોળીબાર કરીને 26 લોકોની હત્યા કરી દીધી. આ હુમલામાં કાનપુરના શુભમ દ્વિવેદીને પણ ગોળી મારી દેવામાં આવી. શુભમ લગ્ન પછી પોતાની પત્ની સાથે હનીમૂન પર ગયો હતો.

Pahalgam: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બૈસરન ઘાટીમાં આતંકીઓએ પર્યટન સ્થળના ભીડભાડવાળા સ્થળે ગોળીબાર કરી દીધો, જેમાં 26 લોકોના મોત થઈ ગયા. આતંકવાદીઓએ લોકોને તેમના ધર્મ વિશે પૂછી-પૂછીને ગોળી મારી. આ હુમલામાં કાનપુરના યુવક શુભમ દ્વિવેદીનું પણ મોત થઈ ગયું. શુભમ તેની પત્ની સાથે હનીમૂન પર ગયો હતો. મળતી માહિતી મુજબ, શુભમના લગ્ન 2 મહિના પહેલા જ 12 ફેબ્રુઆરીના રોજ થયા હતા.

શુભમના પિતા સંજય દ્વિવેદી સિમેન્ટના વેપારી છે. શુભમ બુધવારે જમ્મુ અને કાશ્મીરથી પરત ફરવાનો હતો. જે સમયે આતંકવાદીઓ શુભમને મારી રહ્યા હતા, ત્યારે તેની પત્નીએ આતંકવાદીઓને કહ્યું કે મને પણ મારી નાખો, તો આતંકવાદીઓએ કહ્યું કે અમે તને નહીં મારીએ. અમે તને જીવતી છોડી રહ્યા છીએ જેથી તું જઈને પોતાની સરકારને જણાવે કે અમે શું કર્યું છે.

કાનપુરમાં રહેતા તેના પિતરાઈ ભાઈ સૌરભ દ્વિવેદીએ જણાવ્યું કે "શુભમના લગ્ન આ વર્ષે 12 ફેબ્રુઆરીએ જ થયા હતા. તે તેની પત્ની સાથે પહેલગામમાં હતો. મારી ભાભીએ મારા કાકાને ફોન કરીને કહ્યું કે શુભમના માથામાં ગોળી વાગી છે. એવું પણ કહ્યું કે વ્યક્તિઓના નામ પૂછ્યા પછી ગોળી મારવામાં આવી હતી... અમને માહિતી મળી છે કે બધી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી 2-3 દિવસ પછી મૃતદેહ સોંપવામાં આવશે..."

સમાચાર મળતા જ ઘરમાં રોકકળ મચી ગઈ

શુભમના મૃત્યુના સમાચાર મળતા જ ઘરમાં રોકકળ મચી ગઈ. પરિવારના સભ્યોનું કહેવું છે કે આતંકવાદીઓએ જે રીતનું કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે અને મારા શુભમની હત્યા કરી છે, એવી જ રીતે સરકારે પણ તેમની પાસેથી બદલો લેવો જોઈએ. અમારા શુભમનો મૃતદેહ શક્ય તેટલી વહેલી તકે અમારા ઘરે મોકલવો જોઈએ.

પરિવારજનોનું કહેવું છે કે અમારા પરિવારના 10 સભ્યો પહેલગામમાં હાજર છે. તેમાંથી ઘણા બુધવાર સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે. કાનપુરથી પણ કેટલાક લોકો દિલ્હી જશે કારણ કે શુભમનો મૃતદેહ દિલ્હી આવવાની અપેક્ષા છે. આ પછી, શુભમનો પરિવાર તેના મૃતદેહને તેના વતન ગામ હાથીપુર લઈ જશે.

જણાવી દઈએ કે મંગળવારે બપોરે કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. જેમાં 26 લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના લોકો અન્ય રાજ્યોના હતા. 2019 માં પુલવામા હુમલા પછી ઘાટીમાં આ સૌથી ઘાતક હુમલો છે. આ ઘટના બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકાવીને બુધવારે સવારે દિલ્હી પરત ફર્યા.

આ પણ વાંચો: બારામૂલામાં 2 આતંકીઓ ઠાર, પહેલગામ બાદ વધુ એક હુમલાની તૈયારીમાં હતા આતંકી, સર્ચ ઓપરેશન યથાવત

દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ આતંકવાદી હુમલાને "તાજેતરના વર્ષોમાં નાગરિકો પરના કોઈપણ હુમલા કરતા ઘણો મોટો" ગણાવ્યો. મૃતકોમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam Attack News shubham dwivedi Jammu And Kashmir News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ