બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગબ્બરે દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ આ ખાસ વાંચી લેજો, નહીંતર થશે ધરમધક્કો!
Last Updated: 02:13 PM, 12 May 2024
અંબાજી ખાતે ગબ્બરનાં પગથિયાનાં નવીનીકરણને લઈ ગબ્બર પર ચઢવાનાં એક તરફનાં પગથિયાને બંધ કરવામાં આવ્યા છે. તેમજ દર્શનાર્થીઓએ ઉતરવાનાં રસ્તે જ ચઢવાનું રહેશે. તેમજ તેજ પગથિયાથી નીચે ઉતરવું પડશે. દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મંદિર ટ્રસ્ટર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ જે પગથિયા છે તે નાના હોવાનાં કારણે ભક્તોને પગથિયા ચડવામાં તકલીફ પડતી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
યાત્રાધામ અંબાજી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. તેમજ અમુક લોકોએ પગથિયા ચડી ગબ્બર પર દર્શન કરવાની માનતા પણ રાખેલી હોય છે. વહીવટી તંત્ર દ્વારા ગબ્બર પર દર્શન કરવા જતા લોકો માટે એક તરફનાં પગથિયા ખુલ્લા રાખવામાં આવ્યા છે. જ્યાંથી દર્શનાર્થીઓએ ચડવાનું તેમજ ઉતરવાનું રહેશે. હાલ ગબ્બર ખાતે વિવિધ વિકાસલક્ષી કામો કાર્યરત છે. હાલ પગથિયાનું નવીનીકરણની કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગબ્બર પર દર્શન કરવા આવા દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ગબ્બર પરથી ઉતરવાનાં પગથિયાથી જ યાત્રાળુઓએ પગથિયા ચડવાનાં રહેશ. તેમજ ઉતરવા માટે પણ એજ પગથિયાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ તમામ યાત્રાળુઓ દ્વારા વ્યવસ્થામાં સહયોગ આપવાનું મંદિરનાં વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ.મોદીએ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.