બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / મૌલવીના કેસમાં વધુ એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારથી દબોચ્યો, પૂછપરછમાં થઇ શકે છે મોટો ખુલાસો

ધરપકડ / મૌલવીના કેસમાં વધુ એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારથી દબોચ્યો, પૂછપરછમાં થઇ શકે છે મોટો ખુલાસો

Last Updated: 11:18 AM, 12 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ નેતાઓની હત્યાનાં ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીની ધરપકડ મામલે પોલીને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની બિહારનાં મુઝફરપુરથી ધરપકડ કરી છે.

હિન્દુ નેતાઓની હત્યાનાં ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીની ધરપરકડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની નેપાળ બોર્ડર પાસે આવેલા બિહારનાં મુઝફરપુરથી ધરપકડ કરી છે. આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈ સુરત એરપોર્ટ પહોંચી હતી. તેમજ એરપોર્ટથી આરોપીને ક્રાઈમ બ્રાન્ચ કચેરી લવાયો હતો.

vlcsnap-2024-05-12-10h54m47s575

બિહારથી ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. આરોપીએ મૌલવીનો સંપર્ક પાકિસ્તાનનાં ડોગર જોડે કરાવ્યો હતો. આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ મેળવશે. રિમાન્ડ દરમ્યાન મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યા છે.

vlcsnap-2024-05-12-10h53m49s499

મૌલવી દ્વારા હિન્દુ નેતાઓને અવાર નવાર ધમકીઓ આપવામાં આવતી

આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચનાં ડીસીપી બી.પી.રોઝીયાએ જણાવ્યું હતું કે, મૌલવી મહંમદ સાહિલ અબુબકર દ્વારા અવાર નવાર ઉપદેશ રાણા, નૂપુર શર્માને તેમજ હૈદરાબાદનાં રાજાસિંહને ધમકીઓ આપવામાં આવતી હતી. જે બાદ મૌલવીની અટકાયત કરવામાં આવી છે. તેમજ મૌલવી દ્વારા જે લોકો સાથે ફોન પર વાતચીત કરવામાં આવી હતી. તે તમામ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાં બિહારનાં મુઝફ્ફરપુરનાં રહેવાસી મહંમદ સાબીર તે નંબરનો ઉપયોગ કરતો હતો. જેની ધરપકડ કરી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે.

ભાવેશ રોજીયા (ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ સુરત)

NIA દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરતા સુરત કનેક્સન બહાર આવ્યું

સુરતમાંથી ધરપકડ કરેલ મૌલવી જે હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા લોકોને મારી નાંખવાની અવાર નવાર ધમકી આપતો હતો. તેમજ તેઓને ફોન કરી ડરાવવાનો તેમજ અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવતી હતી. આ સમગ્ર બાબતે સુરક્ષા એજન્સી નેશનલ ઈન્વેસ્ટીગેશન દ્વારા તપાસ શરૂ કરી હતી. જેમાં આ સમગ્ર મામલે સુરત કનેક્શન બહાર આવવા પામ્યું હતું.

વધુ વાંચોઃ ગુજરાતમાં વધુ એક સમર સ્પેશ્યલ ટ્રેનની કરાઇ સુવિધા, જે સુરતથી દોડશે, જાણો ટાઇમિંગ

પોલીસ દ્વારા કોલ ડિટેઈલની તપાસ હાથ ધરાઈ

ધરપકડ કરાયેલ મૌલવી દ્વારા લોકોનો ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. આ મામલે તપાસ એજન્સી દ્વારા મૌલવીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે 11 દિવસનાં રિમાન્ડ આપ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા અન્ય શકમંદોની પણ ધરપકડો શરૂ કરી છે. તેમજ મૌલવીની કોલ ડિટેઈલની તપાસ હાથ ધરતા તેમાંથી પાકિસ્તાનનાં નંબરો તેમજ વાતચીત કર્યાનું માલુમ પડતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં બિહારથી એક શખ્સની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Muzaffarpur Surat News Maulana Arrested
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ