બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / on Sushant Singh death director Dibakar Banerjee said I didn't see anyone mourning

મનોરંજન / 'મેં કોઇને પણ શોક મનાવતા નહોતા જોયા', સુશાંત સિંહના મોત પર શું બોલ્યા ડાયરેક્ટર દિબાકર બેનર્જી

Published By: Megha

Last Updated: 10:52 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિબાકર બેનર્જીએ એક વાતચીત દરમિયાન એમને સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને તમામ થિયરીઓ અને ષડયંત્રના દાવાઓ પર પ્રતિક્રિયા આપી હતી.

નિર્દેશક દિબાકર બેનર્જી હાલમાં તેમની ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોખા 2' માટે ચર્ચામાં છે, જેનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. દિબાકરે તાજેતરમાં આ ફિલ્મના પ્રમોશન દરમિયાન સુશાંત સિંહ રાજપૂત અને તેના મૃત્યુ વિશે વાત કરી હતી. 

સુશાંત સિંહ રાજપૂતના 50 ડ્રીમ્સ, મૃત્યુ પહેલા માત્ર 13 સપના પૂરા કરી શક્યો,  આ 37 ઈચ્છાઓ રહી ગઈ અધૂરી | Sushant Singh Rajput's 50 Dreams Fulfilled Only  13 Before Dying, These 37 ...

હવે એ તો જાણીતું જ છે કે દિબાકરે સુશાંતને ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી ફિલ્મમાં ડિરેક્ટ કરી હતી. તેણે લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેણે સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને તમામ થિયરીઓ અને ષડયંત્રના દાવાઓ પર પણ પ્રતિક્રિયા આપી. એ પણ અફસોસ વ્યક્ત કર્યો કે લોકોને સુશાંતના મૃત્યુ કરતાં ગપશપ શોધવામાં વધુ રસ હતો. સાથે જ એમને સુશાંત સિંહ રાજપૂતના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આઉટસાઇડર હોવા છતાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. દિબાકરે એ પણ યાદ કર્યું કે કેવી રીતે મીડિયાએ સુશાંતના મૃત્યુને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.

દિબાકરે કહ્યું, 'જ્યારે સુશાંતનું અવસાન થયું, ત્યારે તેના મૃત્યુના કારણને લઈને ઘણી વાતો ચાલી રહી હતી. મારે દરેક વસ્તુથી મારી જાતને અલગ કરવી પડી. હું બધું સાંભળી રહ્યો હતો, પરંતુ કોઈને એવું કહેતા સાંભળ્યા ન હતા કે એક યુવાન અભિનેતાનું મૃત્યુ થયું છે. મેં આસપાસ કોઈને તેના માટે શોક કરતા કે રડતા જોયા નથી. હું જોઈ શકતો હતો કે લોકો માત્ર મસાલેદાર ગપસપ શોધવાનો પ્રયાસ કરે છે. તેથી, મારે મારી જાતને તે પરિસ્થિતિથી દૂર રાખવાની હતી. કોઈ કહેતું ન હતું કે 'અમે સુશાંતને મિસ કરી રહ્યા છીએ.'

સુશાંત સિંહ રાજપૂતને ફોન કરીને કોણ હેરાન કરતું હતું? આ નામ આવ્યુ સામે | Who  was harassing Sushant Singh Rajput by phone

દિબાકર બેનર્જીએ વધુમાં કહ્યું કે, 'કોઈએ આ વિશે વાત કરી ન હતી કે કેવી રીતે બહારના વ્યક્તિ હોવા છતાં, સુશાંત સિંહ રાજપૂતે ટીવીમાં અભિનય કર્યો અને પછી ફિલ્મોમાં તેની શરૂઆત કરી. દરેક જણ માત્ર ષડયંત્ર વિશે અનુમાન લગાવી રહ્યા હતા, સુશાંતને ડ્રગ્સ કોણે આપ્યું અને કોને તેની હત્યા કરી. તે શોકસભા ક્યાં છે? તેમની ફિલ્મોના પ્રભાવની વાતો ક્યાં છે? જે લોકો તેને પ્રેમ કરતા હતા તેઓએ તેની ફિલ્મોની સ્ક્રીનીંગ યોજવી જોઈએ અને તેની ચર્ચા કરવી જોઈએ. શા માટે આપણે તેમની બધી સારી યાદોને યાદ ન કરીએ? કોઈએ આવું ન કર્યું.. 

વધુ વાંચો: 'ગ્રુપિઝમના કારણે કામ નથી મળતું', ઇન્ડસ્ટ્રીમાં કામ ન મળવા પર ટીવી એક્ટર શાહબાઝ ખાને કાઢી ભડાસ

જાણીતું છે કે સુશાંત સિંહ રાજપૂત જૂન 2020 માં મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારથી અભિનેતાના મૃત્યુની તપાસ ચાલી રહી છે. આમાં ડ્રગ્સનો એંગલ પણ સામે આવ્યો હતો, જેમાં સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીને થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. ફેન્સ અને સુશાંતનો પરિવાર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dibakar Banerjee Sushant Singh Rajput Sushant singh Rajput Suicide sushant singh news દિબાકર બેનર્જી સુશાંત સિંહ રાજપુત sushant singh rajput

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ