બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / actor Shahbaz Khan shared his pain and said, 'He is not getting work in the industry

ટેલિવિઝન જગત / 'ગ્રુપિઝમના કારણે કામ નથી મળતું', ઇન્ડસ્ટ્રીમાં કામ ન મળવા પર ટીવી એક્ટર શાહબાઝ ખાને કાઢી ભડાસ

Megha

Last Updated: 10:15 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી દર્શકોને શાહબાઝ ખાનનું નામ ચોક્કસથી યાદ હશે, એમને હિન્દી ટીવી શોમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા છે. હવે અભિનેતાએ પોતાનું દર્દ શેર કરતાં કહ્યું કે, 'તેને ઈન્ડસ્ટ્રીમાં કામ નથી મળી રહ્યું'

'ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન', 'ચંદ્રકાંતા', 'યુગ', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવા ઘણા લોકપ્રિય શોમાં અને બિગ બી, અક્ષય કુમાર, અજય દેવગન અને રિતિક રોશન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરનાર શાહબાઝ ખાન ફરી એકવાર ચર્ચામાં છે. શાહબાઝ ખાને કહ્યું છે કે હવે તેને કામ નથી મળી રહ્યું. તેણે આ માટે કાસ્ટિંગ ડિરેક્ટર્સને જવાબદાર ઠેરવ્યા છે. જે ફક્ત પોતાના લોકોને કામ આપે છે. 

ટીવી દર્શકોને શાહબાઝ ખાનનું નામ ચોક્કસથી યાદ હશે. શાહબાઝે હિન્દી ટીવી શોમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા છે. તેણે દૂરદર્શનના શો 'બેતાલ પચીસી'માં બેતાલની ભૂમિકા ભજવી હતી. લોકો તેમને 'ચંદ્રકાંતા'ના પાત્ર કુંવર વીરેન્દ્ર વિક્રમ સિંહના નામથી પણ ઓળખે છે. તેણે 'મહારાજા રણજીત સિંહ', 'યુગ' અને 'ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ' જેવા ઘણા લોકપ્રિય શોમાં પણ કામ કર્યું છે. 

ટીવી બાદ શાહબાઝે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તે 'મેજર સાહેબ', 'રાજુ ચાચા', 'ધ હીરો' અને 'એજન્ટ વિનોદ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. હવે શાહબાઝે પોતાનું દર્દ શેર કર્યું છે. તેણે કહ્યું છે કે હવે તેને ઈન્ડસ્ટ્રીમાં કામ નથી મળી રહ્યું. આ માટે તેણે આજના કાસ્ટિંગ ડિરેક્ટર્સને જવાબદાર ઠેરવ્યા હતા. 

એક વાતચીત દરમિયાન શાહબાઝે કહ્યું, 'જે કાસ્ટિંગ ડિરેક્ટર આવ્યા છે તેમના પોતાના ગ્રુપ છે. પક્ષપાત ઘણો છે. અમારા જેવા કલાકારો, જેમણે ભૂતકાળમાં કામ કર્યું છે અને આ ઈન્ડસ્ટ્રીમાં જ જીવન વિતાવ્યું છે, તેમને જૂથવાદને કારણે તક નથી મળતી.' 

વધુ વાંચો: દીકરાને વર્જિનિટી પર સવાલ કરતા ટ્રોલ થઇ મલાઇકા અરોરા, 'દમ બિરિયાની'નો પ્રોમો રિલીઝ

આ સાથે જ એમને એમ પણ કહ્યું કે આ ફક્ત તેની સાથે જ નહીં પરંતુ ઘણા કલાકારો સાથે થઈ રહ્યું છે, 'મારા જેવા ઘણા કલાકારો છે જેમને કામ મળવું મુશ્કેલ બન્યું છે.' શાહબાઝે લોકપ્રિય શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં પણ કામ કર્યું છે. તે છેલ્લે શેમારૂ ટીવીના શો 'તુલસીધામ કે લડ્ડુ ગોપાલ'માં જોવા મળ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ