બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / on 21 august BCCI will release the name of Team India players for Asia Cup 2023

ક્રિકેટ / Asia Cup 2023ને લઈને મોટા સમાચાર: આ તારીખે BCCI કરશે ભારતીય ટીમનું એલાન, જાણો કયાં પ્લેયર્સને મળી શકે છે ભવ્ય ચાન્સ

Vaidehi

Last Updated: 06:24 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની શરૂઆત 30 ઑગસ્ટનાં રોજ થવા જઈ રહી છે ત્યારે BCCI સોમવારે ભારતીય ટીમનું એલાન કરશે. જાણો કોણ-કોણ શામેલ થઈ શકે છે ટીમ ઈન્ડિયામાં?

  • એશિયા કપની શરૂઆત 30 ઑગસ્ટથી
  • સોમવારે BCCI કરશે ટીમ ઈન્ડિયાનું એલાન
  • 2 સપ્ટેમ્બરનાં યોજાશે ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ

એશિયા કપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એશિયા કપ 30 ઑગસ્ટથી શરૂ થવાનું છે ત્યારે ભારતીય ટીમનું એલાન 21 ઑગસ્ટ એટલે કે સોમવારે BCCI દ્વારા કરવામાં આવશે. ભારતીય ટીમ એશિયા કપ બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ 2023 પણ રમશે.એશિયા કપ આ વખતે વનડે ફોર્મેટમાં યોજાશે. તેવામાં આ ટૂર્નામેન્ટ માટે ઘોષિત થયેલ ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ સ્કવૉડની પણ એક ઝલક જોવા મળી શકશે. એવું કહી શકાય કે એશિયા કપની ભારતીય ટીમમાં 2-3 ફેરફારો સાથે વર્લ્ડ કપની ટીમની ઘોષણા થશે. ટીમ ઈન્ડિયાની કમાન કેપ્ટન રોહિત શર્માનાં હાથોમાં જ રહેશે.

30 ઑગસ્ટનાં શરૂ થશે એશિયા કપ
એશિયા કપ 30 ઑગસ્ટનાં રોજ શરૂ થવા જઈ રહ્યું છે. પહેલી મેચ નેપાલ અને પાકિસ્તાનની વચ્ચે યોજાશે જ્યારે ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરનાં થશે. એશિયા કપ માટે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ બાદ નેપાળે પણ પોતાની ટીમનું એલાન કરી દીધું છે. 21 ઑગસ્ટનાં રોજ BCCI પણ ટીમ ઈન્ડિયાનાં સ્ક્વૉડને લઈને જાહેરાત કરશે.

ભારત-પાકિસ્તાનની મેચ
આ વખતે હાઈબ્રિડ મોડલનાં આધાર પર એશિયા કપ યોજાયો છે. એશિયા કપનાં હોસ્ટ પાકિસ્તાનની ધરતી પર તો માત્ર 4 મેચો જ થશે જ્યારે ફાઈનલ સહિતની બાકીની 9 મેચ શ્રીલંકામાં યોજાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ શ્રીલંકામાં 2 સપ્ટેમ્બરનાં પાકિસ્તાનની સામે રમશે. આ બાદ ભારતીય દ્વિતીય ગ્રુપ નેપાળની સામે 4 સપ્ટેમ્બરનાં મેચ રમશે. 

એશિયા કપમાં 2 ગ્રુપ આ પ્રકારે છે
GROUP A- ભારત, પાકિસ્તાન અને નેપાળ
GROUP B- શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન

ભારતની 17 મેંમર્સની સંભવિત ટીમ
રોહિત શર્મા કેપ્ટન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, મહોમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા, મહોમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, સંજૂ સેમસમ, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર, યુજવેંદ્ર ચહલ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ