CM અરવિંદ કેજરીવાલ આજે કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે અને નવા વેરિયન્ટનું જોખમને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે.
કેજરીવાલ સરકારે ઓમિક્રોનના જોખમને લઈને યલો એલર્ટ જાહેર કર્યું
દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે
યલો એલર્ટ બાદ 50 ટકા સ્ટાફને દિલ્હી બોલાવવામાં આવશે
As the COVID19 positivity rate has been above 0.5% for the past few days, we are enforcing Level-I (Yellow alert) of the Graded Response Action Plan. A detailed order on restrictions to be implemented will be released soon: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/tkJ9WtMaSz
કેજરીવાલ સરકારે નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા ખતરાને ઘ્યાનમાં લઈને દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. જીઆરએપી ગ્રેડડ રિસ્પોન્સ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે, દિલ્હીમાં હવે યલો એલર્ટ લાગુ થશે. જેમાં અનેક પ્રતિબંધો મુકવામાં આવશે. દિલ્હીની કેજરીવાલ સરકારે જુલાઈ 2021માં કોરોનાની ત્રીજી લહેરને પોહોંચી વળવા માટે જીઆરએપી તૈયાર કરી હતી.
શું હોય છે GRAP?
જો દિલ્હીમાં GRAP લાગુ કરવામાં આવે તો શાળાઓ, સિનેમાઘરો અને જીમ બંધ થઈ શકે છે. શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલમાં દુકાનો ઓડ-ઇવન ધોરણે ખુલશે. દેશભરમાં કોરોનાના બીજા લહેર પછી, દિલ્હી સરકારે જુલાઈ 2021માં કોરોનાના ત્રીજા મોજાનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) પસાર કર્યો હતો. GRAP હેઠળ, દિલ્હીમાં લોકડાઉન ક્યારે હશે, ક્યારે બંધ થશે અને ક્યારે ખુલ્લું રહેશે. GRAP હેઠળ 4 સ્તરો પર ચેતવણીઓ તૈયાર કરવામાં આવી હતી.
ક્યારે અપાય છે યલો એલર્ટ
GRAP એલર્ટ અનુસાર, જો સતત 2 દિવસ સુધી પોઝિટીવીટી રેટ 0.5 ટકા નોંધવામાં આવે છે, તો ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન હેઠળ દિલ્હીમાં લેવલ-1 એટલે કે યલો એલર્ટ લાગુ કરવામાં આવશે. જો સંક્રમણનો દર 1 ટકાથી વધુ હોય તો લેવલ-2 એટલે કે એમ્બર એલર્ટ, લેવલ-3 એટલે કે 2 ટકાથી વધુ હોય તો ઓરેન્જ એલર્ટ અને લેવલ-4 એટલે કે 5 ટકાથી વધુ હોય તો રેડ એલર્ટ જારી કરવામાં આવશે. જાણો લો કે લેવલ-1 એટલે કે યલો એલર્ટ જ્યારે સતત બે દિવસ સુધી પોઝીટીવીટી રેટ 0.5 ટકાને પાર કરે છે ત્યારે જારી કરવામાં આવે છે. એક સપ્તાહમાં 1,500 નવા કેસ નોંધાયા છે અને 500 દર્દીઓને ઓક્સિજન બેડની જરૂર છે.
યલો એલર્ટ લાગુ થયા પછી શું ખુલ્લું રહેશે, શું બંધ રહેશે?
-દિલ્હીમાં યલો એલર્ટ લાગુ થયા બાદ બાંધકામની ગતિવિધિઓ ચાલુ રહેશે.
-દિલ્હીની સરકારી ઓફિસોમાં A ગ્રેડના અધિકારીઓનો 100 ટકા સ્ટાફ આવવો પડશે, બાકીના 50 ટકા સ્ટાફને બોલાવવામાં આવશે. - 50 ટકા સ્ટાફ ખાનગી ઓફિસોમાં આવશે. સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ઓડ-ઈવન ધોરણે દુકાનો ખુલશે.
-ઓડ-ઈવનના ધોરણે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી મોલ ખુલશે.
-દરેક ઝોનમાં 50 ટકા વિક્રેતાઓ સાથે માત્ર એક સાપ્તાહિક બજાર ચાલશે. રેસ્ટોરન્ટ અને બાર 50 ટકા ક્ષમતા સાથે ચાલશે.
-જાહેર ઉદ્યાનો ખુલશે. હોટેલો ખુલશે. વાળંદની દુકાન ખુલશે.
-સિનેમાઘરો, થિયેટરો, બેન્ક્વેટ હોલ, જીમ અને એન્ટરટેઈનમેન્ટ પાર્ક બંધ રહેશે.