બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Offer these things to Lord Vishnu on Thursday, the doors of fortune will open forever

વિષ્ણુ પૂજા / ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય આ ચાર વસ્તુને કરો અર્પણ, પૂજા-પાઠની વિધિ બાદ ભાગ્યના કપાટ હંમેશા માટે ખુલશે

Pooja Khunti

Last Updated: 12:19 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thursday Vrat Puja: ગુરૂવારને બ્રહ્મા અને ગુરુનો વાર માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતાં ધાર્મિક અને મંગળ કાર્યોથી લાભ મળે છે. ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધાં જ પાપોનું નાશ થાય છે.

  • ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબજ પ્રિય છે
  • વિષ્ણુજીને વૈજન્તી માળા ચડાવવાથી સમૃધ્ધિ આવશે
  • ગુરુવારનાં દિવસે વાળ ન કપાવવા જોઈએ

ગુરુવારનાં દિવસે વ્રત કરવાથી માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પણ માતા લક્ષ્મી પણ સરળતાથી પ્રસન્ન થાય છે.  ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને તેમની મનપસંદ વસ્તુ ચડાવવાથી તમારાં અટકેલાં કામો પણ થવાં લાગે છે અને કુંડળીમાં હાજર ગુરુ પણ મજબૂત થવાં લાગે છે. 

ગુરુવારનાં દિવસે શ્રી હરિને અર્પણ કરો આ 4 વસ્તુઓ

પિતાંબર 
શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબજ પ્રિય છે. એવા માટે ગુરુવારનાં દિવસે તેમને પીળાં રંગનું પિતાંબર ચડાવવાથી તે જલ્દી ખુશ થશે. જેથી તમારું આયુષ્ય વધશે. સંતાન સુખ પ્રાપ્ત થશે અને લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે. 

પીળો ભોગ 
ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને હલવો, ગોળ-ચણાની દાળ, કેસરી ભાત અને કેળાનો ભોગ લગાવો. આ તેમનાં પ્રિય ભોગ માનવામાં આવે છે. 

તુલસી 
તુલસી ભગવાન વિષ્ણુનાં શાલિગ્રામ સ્વરૂપનાં પત્ની માનવામાં આવે છે.  એટલાં માટે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબજ પ્રિય છે. તુલસીનાં પાન વગર ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ નથી કરતાં. ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને તુલસીની માળા ચડાવવાથી લગ્નજીવન સુખમય બને છે. 

વૈજન્તીનાં ફૂલ
શાસ્ત્રો મુજબ વૈજન્તી માળા ભગવાન સત્યનારાયણ, વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનાં ગળામાં શોભે છે. વિષ્ણુજીને વૈજન્તી માળા ચડાવવાથી સમૃધ્ધિ આવશે. ધનની કમી પણ નહીં રહે. 

ગુરુવારનાં દિવસે શું ન કરવું 
ગુરુવારનાં દિવસે વાળ ન કપાવવા જોઈએ. તેનાથી સંતાન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. 
આ દિવસે દક્ષિણ, પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમમાં મુસાફરી કરવાની મનાઈ છે. 
ગુરુવારનાં દિવસે મીઠાનું [નમક] સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ