બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Offer these things to Lord Vishnu on Thursday, the doors of fortune will open forever

વિષ્ણુ પૂજા / ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય આ ચાર વસ્તુને કરો અર્પણ, પૂજા-પાઠની વિધિ બાદ ભાગ્યના કપાટ હંમેશા માટે ખુલશે

Sanjay Vibhakar

Last Updated: 12:19 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thursday Vrat Puja: ગુરૂવારને બ્રહ્મા અને ગુરુનો વાર માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતાં ધાર્મિક અને મંગળ કાર્યોથી લાભ મળે છે. ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધાં જ પાપોનું નાશ થાય છે.

  • ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબજ પ્રિય છે
  • વિષ્ણુજીને વૈજન્તી માળા ચડાવવાથી સમૃધ્ધિ આવશે
  • ગુરુવારનાં દિવસે વાળ ન કપાવવા જોઈએ

ગુરુવારનાં દિવસે વ્રત કરવાથી માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પણ માતા લક્ષ્મી પણ સરળતાથી પ્રસન્ન થાય છે.  ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને તેમની મનપસંદ વસ્તુ ચડાવવાથી તમારાં અટકેલાં કામો પણ થવાં લાગે છે અને કુંડળીમાં હાજર ગુરુ પણ મજબૂત થવાં લાગે છે. 

ગુરુવારનાં દિવસે શ્રી હરિને અર્પણ કરો આ 4 વસ્તુઓ

પિતાંબર 
શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબજ પ્રિય છે. એવા માટે ગુરુવારનાં દિવસે તેમને પીળાં રંગનું પિતાંબર ચડાવવાથી તે જલ્દી ખુશ થશે. જેથી તમારું આયુષ્ય વધશે. સંતાન સુખ પ્રાપ્ત થશે અને લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે. 

પીળો ભોગ 
ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને હલવો, ગોળ-ચણાની દાળ, કેસરી ભાત અને કેળાનો ભોગ લગાવો. આ તેમનાં પ્રિય ભોગ માનવામાં આવે છે. 

તુલસી 
તુલસી ભગવાન વિષ્ણુનાં શાલિગ્રામ સ્વરૂપનાં પત્ની માનવામાં આવે છે.  એટલાં માટે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબજ પ્રિય છે. તુલસીનાં પાન વગર ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ નથી કરતાં. ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને તુલસીની માળા ચડાવવાથી લગ્નજીવન સુખમય બને છે. 

વૈજન્તીનાં ફૂલ
શાસ્ત્રો મુજબ વૈજન્તી માળા ભગવાન સત્યનારાયણ, વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનાં ગળામાં શોભે છે. વિષ્ણુજીને વૈજન્તી માળા ચડાવવાથી સમૃધ્ધિ આવશે. ધનની કમી પણ નહીં રહે. 

ગુરુવારનાં દિવસે શું ન કરવું 
ગુરુવારનાં દિવસે વાળ ન કપાવવા જોઈએ. તેનાથી સંતાન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. 
આ દિવસે દક્ષિણ, પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમમાં મુસાફરી કરવાની મનાઈ છે. 
ગુરુવારનાં દિવસે મીઠાનું [નમક] સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu Pooja Thursday Tips ગુરુવાર ઉપાય વિષ્ણુ પૂજા Vishnu Puja
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ