છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યમાં ડેંગી(Dengue)ના કેસોમાં ભયજનક વધારો નોંધાયો છે. આ વધારામાં આવો જ એક ચિંતાજનક મચ્છરજન્ય રોગ એટલે કે ચિકનગુનિયા ભૂલી જવાયો છે. જો કે સરકારે પ્રકાશિત કરેલા આ રિપોર્ટમાં ચીકવાનારો ખુલાસો થયો કે ગુજરાત રાજ્યમાં 2018માં ડેંગી કરતા પણ વધુ તો ચિકનગુનિયા ફેલાયો હતો.
હમણાં જ National Health Profile NHL 2019 દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે કર્ણાટક ચિકનગુનિયામાં 20411 કેસીસ સાથે પ્રથમ ક્રમે છે.
જયારે ગુજરાત 10601 કેસીસ સાથે બીજા ક્રમે છે. 2014માં ગુજરાતમાં 574 કેસીસ નોંધાયા હતા જેમાં 2018 સુધીમાં ભયજનક 20 ગણો વધારો થયો છે. ત્રીજા ક્રમે 9884 કેસીસ સાથે મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. આમ કુલ કેસીસના અડધોઅડધ કેસ ગુજરાત અને કર્ણાટકમાં જ નોંધાયા છે. અહીં એ પણ નોંધનીય છે કે 2018માં ગુજરાતમાં ડેંગીના કેસની સંખ્યા 7579 હતી જેની સામે ચિકનગુનિયાના કેસોની સંખ્યા 10601 હતી.
અમદાવાદમાં ચિકનગુન્યાના 126 કેસ
ગુજરાતના લગભગ તમામ નગરો ખાસ કરીને વરસાદની સીઝનમાં મચ્છર અને પાણીજન્ય રોગોની લપેટમાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલ પણ રાજ્ય કમોસમી વરસાદથી પીડાઈ રહ્યું છે. એવા સમયે અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરી મહિનાથી બીજી નવેમ્બર સુધી 126 ચિકનગુનિયાના કેસ અને 1485 ડેંગીના કેસ પોઝિટિવ આવ્યા હતા.
ચિકનગુનિયા થવાના કારણો
ચિકનગુનિયાએ માદા એડિસ ઈજીપ્તિ નામના મચ્છર કરડવાથી થાય છે
મચ્છર કરડ્યા પછી 4થી 8 દિવસ પછી દર્દીમાં ચિકનગુનિયાના લક્ષણ જોવા મળે છે
ચિકનગુનિયાના મુખ્ય લક્ષણો
દર્દીને તાવ આવે છે, સાંઘામા અસહ્ય દુખાવાની સાથે સોજો પણ રહે છે
સ્નાયુઓની સાથે આખા શરીરમાં અસહ્ય દુખાવો રહે છે જે અસહ્ય પીડા થાય છે
આ રોગ ઈલાજ પછી પણ સમયાંતરે(ત્રણ વર્ષ સુધી) ફરી અસર બતાવે છે
ચિકનગુનિયા મુખ્યત્વે ચોમાસા અને ચોમાસા બાદના મહિનામાં જોવા મળે છે
ચિકનગુનિયાથી કેવી રીતે બચી શકાય?
ચિકનગુનિયાના મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે
મચ્છરનો ઉપદ્રવ કંટ્રોલ કરવો તે સૌથી જરૂરી
ઘરમાં કે આસપાસ ક્યાંય પાણી ભરેલુ ના રહે તેની કાળજી રાખવી