બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકન સાથે લગ્ન કર્યા એટલે ગ્રીન કાર્ડ મળી ગયું, એવાં વ્હેમમાં ના રહેતા! જાણો કેમ
Last Updated: 03:06 PM, 2 January 2026
US Green Card: અમેરિકાના પર્મેનન્ટ રેસીડન્સી એટલે કે Green Card ને અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. આ વિદેશીઓને અમેરિકામાં સ્થાયી રૂપથી રહેવાનો અને કામ કરવાનો અધિકાર આપે છે. જો કે ગ્રીન કાર્ડ હોલ્ડરને અમેરિકાના નાગરિકની જએમ તમામ અધિકારો નથી મળતા પઆન તેમને બીજા ઘણા ફાયદાઓ મળે છે. આ જ કારણ છે કે આ પરમિટની ખાસ્સી એવી ડિમાન્ડ રહે છે. અત્યાર સુધી ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકન નાગરિક સાથે લગ્ન કરવા તેને સૌથી ભરોસાલાયક રસ્તો ગણવામાં આવતો હતો પરંતુ હવે એવું નથી. ઈમિગ્રેશન એક્સપર્ટનું કહેવું છે કે માત્ર અમેરિકન નાગરિક સાથે લગબ એ હવે પરમેનન્ટ રેસીડન્સીની ગેરેન્ટી નથી .
ADVERTISEMENT
અમેરિકાના કાયદા અનુસાર કોઈ અમેરિકન નાગરિકના પતિ કે પત્નીને તેના નજીકના સગા માની શકાય છે. તેનાથી તે American Citizenship and Immigration Services (USCIS) ના મધ્યમથી ગ્રીનકાર્ડની અરજી માટે યોગ્ય બને છે પરંતુ ઈમિગ્રેશન વ્યકિલોનું કહેવું છે કે આ યોગ્યતા છે તેનો અર્થ મંજૂરી એવો ના કરી શકાય. એક મીડિયા રિપોર્ટ અનુસાર એક ઈમિગ્રેશન વકીલનું કહેવું છે કે માત્ર લગ્ન કરવાથી ગ્રીન કાર્ડ નહીં મળી શકે. તેમણે વધુમાં કહ્યું કે લગ્નના આધારે ગ્રીન કાર્ડ મેળવવા માટે સાથે રહેવું એ હવે એક નિર્ણાયક ફેક્ટર બની ગયું છે. તેમણે કહ્યું કે માત્ર રિલેશનશીપમાં હોવાથી તમને ગ્રીનકાર્ડ નહીં મળી શકે. સાથે રહેવાથી મળશે. આ સાથે જ તેમણે ચેતવણી પણ આપી છે કે કે કપલ્સ લગ્ન કરી ચૂક્યા છે પણ તેઓ અલગ રહે છે તો તેમની અરજી કેન્સલ થવાના ચાન્સીસ વધી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઈમિગ્રેશનના વકીલે કહ્યું કે લગ્ન પર આધારિત ગ્રીન કાર્ડ અરજીઓને ખૂબ નજીકથી તપાસવામાં આવી રહી છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં તેમાં તેજી આવી છે. અધિકારોઓ લગ્નની કાયદાકીય સ્થિતિ પર ઓછું અને એ વાત પર વધારે ધ્યાન આપે કે લગ્ન સાચા છે કે નહીં. ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશનને લઈને કડક વલણ અપનાવ્યું છે જેમાં ડાયવર્સિટી વિઝા લોટરીને સસ્પેન્ડ પણ કરી શકે છે. આનાથી લગભગ વર્ષે 50000 વિદેશીઓને વિઝા આપવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઈમિગ્રેશનના વકીલના જણાવ્યા અનુસાર જો પતિ-પત્ની એક ઘરમાં નથી રહેતા તો તેમનો ગ્રીન કાર્ડનો કેસ પહેલાથી જ ખરાબ થઈ શકે છે. તેમણે કહ્યું કે ઈમિગ્રેશન અધિકારી અલગ રહેવા પાછળના કારણ જેવા કે કામ, અભ્યાસ, રૂપિયાની અગવડ વગેરેને કાને ધરતા નથી. અલગ રહેતા કપલ્સની વધારે કડક તપાસ થાય છે. તેવામાં લગ્નમાં ફ્રોડની સંભાવના, મુશ્કેલ ઇંટરવ્યૂ અને ઘણીવાર અરજીને કેન્સલ પણ કરવામાં આવે છે. જો કપલ એકસાથે એક ઘરમાં નથી રહેતા તો ઈમિગ્રેશન અધિકારી લગ્ન પર પ્રશ્નો કરવાના શરૂ કરી દે છે. સવાલ ઉઠાવવાનો મતલબ છે કે તેઓ તપાસ કરી રહ્યા છે અને જ્યારે તપાસ કરે છે ત્યારે તેઓ હકીકત સુધી પહોંચવાના રસ્તા શોધી લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.