બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:43 AM, 24 November 2025
UK Immigration 2026: યુકેમાં કાયમી રહેઠાણ મેળવવાનો રસ્તો હવે પહેલા કરતા અનેક ગણો લાંબો અને કઠણ બનવાનો છે. બ્રિટન સરકારના નવા નિયમો લાખો ભારતીય કામદારોના ભવિષ્યને સીધી અસર પહોંચાડે તેવા છે.
ADVERTISEMENT
બ્રિટનમાં કાયમી રહેઠાણ (Permanent Residence - PR) મેળવવા લાંબા સમયથી પાંચ વર્ષનો નિવાસ પૂરતો માનવામાં આવતો હતો. પરંતુ હવે યુકે લેબર પાર્ટીની સરકારે આ સમયગાળો સીધો દસ વર્ષ સુધી વધારી દીધો છે. ગૃહમંત્રી શબાના મહમૂદે સંસદમાં જણાવ્યું કે "આ દેશમાં કાયમ માટે સ્થાયી થવું એ અધિકાર નથી, પરંતુ એક વિશેષાધિકાર છે જે કમાવવાની જરૂર છે." સરકારનું કહેવું છે કે ઇમિગ્રેશનના વધતા દબાણને ધ્યાનમાં રાખીને દેશમાં પ્રવેશતા વિદેશીઓની સંખ્યા ઘટાડવી જરૂરી છે. ખાસ કરીને રિફોર્મ યુકે પાર્ટીના વધતા દબાણને પગલે સરકાર વધુ સખત ઇમિગ્રેશન નીતિ લાવી રહી છે. નવા નિયમો અપ્રીલ 2026 થી અમલમાં આવશે એવી શક્યતા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કાયદેસર રીતે યુકેમાં આવેલા વિદેશી કામદારો માટે સરકારનો સૌથી મોટો ફેરફાર એ છે કે જો કોઈએ 12 મહિનાથી વધુ સરકારી લાભો મેળવ્યા હોય તો તેમને હવે PR માટે અરજી કરતા પહેલા 20 વર્ષ સુધી દેશમાં રહેવું પડશે. જે લોકો ગેરકાયદેસર રીતે યુકે પહોંચ્યા પરંતુ પછી રહેવાની મંજૂરી મળી તેઓ માટે રાહ વધુ લાંબી છે. આવા લોકોને 30 વર્ષ પછી જ PR માટે અરજી કરવાની તક મળશે. આ નીતિ હેઠળ સરકારનો હેતુ છે કે ફક્ત આત્મનિર્ભર અને કર ચૂકવતા લોકોને જ દેશમાં કાયમી રહેવાની મંજૂરી મળે.

ADVERTISEMENT
બ્રેક્ઝિટ બાદ યુકેમાં ‘હેલ્થ એન્ડ સોશિયલ કેર વિઝા’ પર આવેલા ઓછી લાયકાત ધરાવતા ઘણા કામદારોને હવે PR માટે 15 વર્ષ રાહ જોવી પડશે, જો તેઓએ ઓછા સમય માટે જ લાભ મેળવ્યા હોય.પરંતુ જાહેર સેવા માટે જરૂરી ડોકટરો અને નર્સો માટે રાહનો સમય બદલાયો નથી. તેઓ પાંચ વર્ષ બાદ PR માટે પાત્ર રહેશે. બીજી બાજુ, ઉચ્ચ આવક ધરાવતા વ્યક્તિઓ માટે નિયમ વધુ અનુકૂળ છે. જો કોઈનું વાર્ષિક પગાર ₹1.25 કરોડથી વધુ હોય તો તેઓને માત્ર 3 વર્ષ માં PR મળી શકે છે. સરકારના મતે ઊંચી આવકવાળા લોકો દેશના અર્થતંત્રમાં વધુ યોગદાન આપે છે, તેથી તેમને ઝડપી માર્ગ આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વર્ક પરમિટ નથી મળી? તો શું કેનેડામાં રહી શકશે ભારતીય વિદ્યાર્થીઓ? જાણો નિયમ

ADVERTISEMENT
સરકારની નવી યોજના અનુસાર ફક્ત ગુનાહિત રેકોર્ડ વિનાના લોકોને જ PR માટે અરજી કરવાની મંજૂરી મળશે. સાથે જ તેમને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન, કોઈ પ્રકારનું બાકી દેવું નહીં અને સતત ત્રણ વર્ષ સુધી સોશિયલ સુરક્ષા કર ચૂકવેલું હોવું જરૂરી રહેશે. ILR (Indefinite Leave to Remain) પ્રાપ્ત કર્યા બાદ વિદેશી નાગરિકને યુકેમાં કાયમી રહેવા, કામ કરવા અને ક્યાંય પણ સ્થાનાંતરિત થવાની સંપૂર્ણ છૂટ મળશે. નવા નિયમો અમલમાં આવ્યા પછી PR મેળવવાની પ્રક્રિયા લાંબી, કડક અને સ્પર્ધાત્મક બનશે. જેનાથી ભારતીય સહિત વિશ્વભરના લાખો વિદેશી કામદારો પર મોટો પ્રભાવ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.