બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:08 AM, 18 December 2025
India Saudi Arabia Deal: વેકેશન અને ક્રિસમસ સિઝન ઓલમોસ્ટ શરૂ થવામાં છે તે વચ્ચે ઇંડિયન પાસપોર્ટ હોલ્ડર્સ માટે એક સારા સમાચાર છે. ઈંડિયન્સ માટે દુબઈ અને સાઉદી આરબ જવું હવે વધુ સરળ થઈ જશે કારણ કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એક ડીલ સાઇન થઈ છે. ભારતીય રાજદૂત સુહેલ એઝાઝ ખાન અને સાઉદી અરબના વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ બાબતોના ઉપમંત્રી અબ્દુલમજીદ બિન રાશિદ અલસ્મરીએ દ્વિપકક્ષીય વિઝાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલનો હેતુ બંને દેશની જનતાને અવરજવર સરળ બનાવવાની છે. ભારત અને સાઉદી અરબ વચ્ચે એક ડીલ સાઇન થઈ છે જેમાં હવે સાઉદી અરેબિયા અને દુબઈ જવા માંટ વિઝામાં છૂટ મળશે એટલે કે હવે દુબઈ જવું વધારે સરળ થઈ જશે. આ ડીલને ખૂબ જલ્દી અમલમાં લાવવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સાઉદી અરેબિયા સ્થિત ભારતીય દૂતાવાસે તેના ઓફિશિયલ X હેન્ડલ પર એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે ભારત અને સાઉદી આરબ તેમની રણનૈતિક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે. આ માટે ભારતીય રાજદૂત ડૉ. સુહેલ એઝાઝ ખાન અને સાઉદી આરબના વિદેશ મંત્રાલયમાં પ્રોટોકોલ બાબતના ઉપમંત્રી મહામહિમ અબ્દુલમજીદ બિન રાશિદ અલસ્મરી એરિયાધમાં એલ ટેબલ પર બેસીને ચર્ચા કરી હતી. આ બેઠકમાં બંને અધિકારીઓ વચ્ચે રાજનિયક, વિશેષ અને આધિકારિક પાસપોર્ટ ધારકો માટે દ્વિપક્ષીય વિઝા છૂટ સમજણ પર ચર્ચા થઈ હતી.
Saudi Arabia, India Sign Agreement on Mutual Exemption from Short-Stay Visa Requirements for Holders of Diplomatic, Special, and Official Passports.https://t.co/EjdXSyAROW#SPAGOV pic.twitter.com/GsI1h0fYH9
— SPAENG (@Spa_Eng) December 17, 2025
ADVERTISEMENT
આ સમજૂતીના તમામ નિયમોને સમજ્યા પછી પારસ્પરિક સંમતિ પછી બંને દેશોએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી લાગુ થતાંની સાથે જ બંને દેશોના લોકો માટે આધિકારિક મુસાફરી સરળ થઈ જશે. દ્વિપક્ષીય આદાન-પ્રદાનને પણ વેગ મળશે. ગઈ 5 ડિસેમ્બરના રોજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી હતી કે ભારતીય સંસદ ભારત-સાઉદી અરેબિયાના સંસદીય મૈત્રી સમૂહ સાથે ચર્ચા કરશે. આ ઘોષણા સાઉદી આરબના અધિકારી સાથે સાંસદમાં મુલાકાત પછી થઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાઉદી આરબમાં શૂરા પરિષદમાં સાઉદી ભારત સંસદીય મૈત્રી સમિતિના અધ્યક્ષ મેજર જનરલ અબ્દુલ રહેમાન બિન સનહત અલ-હરબીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જોડે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે સંસદીય રાજદ્વારી સંબંધો બંને દેશો વચ્ચે એક બ્રિજની જેમ કામ કરશે જે પરસ્પર સમજણ, આદાન-પ્રદાન અને મજબૂત સંબંધ બનાવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.