બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 30 December 2025
ભારતમાંથી વિદેશ નોકરી કરવા માટે હજારો લોકો જવા માંગતા હોય છે અને જતાં પણ હોય છે. જો તમે પણ એમાંના એક છો કે જે વિદેશમાં નોકરી શોધી રહ્યા છે અને છેતરપિંડીની પણ બીક છે તો તમારા માટે ભારત સરકાર લઈને આવી છે કે ખાસ પોર્ટલ જેના મારફતે તમે વિદેશમાં નોકરી સરળતાથી શોધી શકો છો અને આ પોર્ટલનું નામ છે ઈ-માઈગ્રેટ પોર્ટલ.
ADVERTISEMENT
વિદેશમાં નોકરી કરવા જવા માંગતા હોય તે લોકોને વિદેશમાં નોકરીના નામે થતી છેતરપિંડીની પ્રવૃત્તિઓથી સાવધાન રહેવું જરૂરી છે. એમ પણ રોજ નોકરીની લાલચે વિદેશમાં ફસાવે છે તેવા સમાચાર પણ રોજ સામે આવે છે. કંબોડિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દેશોમાં ભારતીયો ફસાયા હોવાના અસંખ્ય કિસ્સાઓ નોંધાયા છે અને તેમને બચાવી પણ લેવામાં આવ્યા છે. તેવામાં ભારત સરકારે એક પોર્ટલ શરૂ કર્યું છે જેમાં ભારતીય કામદારો આ પોર્ટલ દ્વારા એજન્ટો વિશે પણ માહિતી મેળવી શકે છે.
વાત જાણે એમ છે કે સરકાર વિદેશમાં વધતી જતી છેતરપિંડીની પ્રવૃત્તિઓ પ્રત્યે પણ સતર્ક બની છે. તે ઇચ્છતી નથી કે કોઈ પણ ભારતીય નોકરી માટે વિદેશ જતી વખતે છેતરપિંડીનો સામનો કરે. આ સમસ્યાને ઉકેલવા માટે સરકારે એક પોર્ટલ શરૂ કર્યું છે જે લોકોને વિદેશમાં નોકરી શોધવામાં મદદ કરે છે. વધુમાં ભારતીય કામદારો આ પોર્ટલ દ્વારા એજન્ટોની ચકાસણી પણ કરી શકે છે. આ પોર્ટલને ઈ-માઈગ્રેટ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
ઈ-માઈગ્રેટ પોર્ટલ (https://emigrate.gov.in/#/emigrate)ભારત સરકારના વિદેશ મંત્રાલયની એક પહેલ છે. તેનો હેતુ ઈમિગ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા અને ભારતીય કામદારોને શોષણથી બચાવવાનો છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે વિદેશ જવા માંગતા ભારતીય કામદારો, રજિસ્ટર્ડ એજન્ટ અને વિદેશી કંપનીઓ સહિત વિવિધ એમ્પ્લોયરને એક પ્લેટફોર્મ પર સાથે લાવે છે.
ADVERTISEMENT
આ પોર્ટલનો ઉદ્દેશ્ય વિદેશમાં નોકરી શોધવાની પ્રક્રિયાને પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાનો છે. પોર્ટલની અનોખી વિશેષતા એ છે કે કોઈપણ વ્યક્તિ એજન્ટની મદદ વિના નોકરી શોધી શકે છે અને અરજી કરી શકે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમને નોકરી ગમે છે તો તમારે તેનાથી સંબંધિત બધી વિગતો જાણવી જોઈએ. જેમાં કંપનીની વિગતો અને નોકરીની શરતો શામેલ છે. વિદેશી કંપનીની ચકાસણી કરવી પણ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
કેટલીક નોકરીઓ માટે તમે પોર્ટલ દ્વારા સીધી અરજી કરી શકો છો. અન્ય નોકરીઓ માટે પોર્ટલ તે નોકરી સાથે સંકળાયેલા રજિસ્ટર્ડ એજન્ટની સંપર્ક વિગતો પ્રદાન કરશે. તમે એજન્ટનો સંપર્ક કરી શકો છો અને ખાતરી કરો કે એજન્ટ અને જોબ બંને વેરીફાઇડ છે.

નોકરીની ઓફર મળ્યા બાદ જો તમે ECR (ઇમિગ્રેશન ચેક જરૂરી) કેટેગરી હેઠળ આવો છો તો તમારે ઇ-માઇગ્રેટ પોર્ટલ મારફતે ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે અરજી કરવી જરૂરી રહેશે, જેમાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને ટૂંકી અને સરળ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઇ-માઇગ્રેટ પોર્ટલનો ઉપયોગ કરીને ભારતીય કામદારો વિદેશમાં સરળતાથી નોકરીઓ શોધી શકે છે તેમજ છેતરપિંડીની કોઈ ચિંતા રહેતી નથી, કારણ કે સરકાર દ્વારા તમામ એજન્ટો અને કંપનીઓની અગાઉથી ચકાસણી કરવામાં આવી છે, જેના કારણે ફ્રોડની શક્યતા ઘટે છે અને વિદેશમાં નોકરી શોધવાની પ્રક્રિયા વધુ સુરક્ષિત તથા સરળ બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.