આયુષ્યમાન યોજનાના લાભાર્થી હજુ સુધી કાર્ડ માટે સામાન્ય સેવા કેન્દ્રોનો સંપર્ક કરતા હતા અને ગ્રામીણ સ્તરના ઓપરેટરને 30 રૂપિયા આપ્યા બાદ કાર્ડ મળતુ હતુ.
આયુષ્માન કાર્ડ માટે નહી આપવો પડે ચાર્જ
મોદી સરકારે કરી દીધી ફી માફ
5 લાખ સુધીનુ આયુષ્માન કાર્ડ ફ્રી
હવે ચાર્જ નહી આપવો પડે અને પહેલી વાર કાર્ડ ફ્રીમાં મળશે પરંતુ જો ડુપ્લીકેટ કાર્ડ કે બીજીવાર પ્રિન્ટ કરવા પર 15 રૂપિયા આપવા પડશે. આ કાર્ડ લાભાર્થીઓને બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન બાદ મળશે.
નેશનલ હેલ્થ ઓથોરિટી અને આઇટી મંત્રાલય હેઠળ આવનારા સીએસસી સમજોતા બાદ કેન્દ્ર સરકારે ફી માફીનું એલાન કર્યુ છે. જ્યારે સીએસસી પ્રાઇવેટ એજન્સી છે જે તેના પ્રોડક્શનનું કામ સંભાળે છે. પહેલીવાર આયુષ્યમાન કાર્ડ આવવા પર એનએચએ 20 રૂપિયા સીએસસીને આપશે.
એનએચએના સીઈઓ રામસેવક શર્માના જણાવ્યા અનુસાર આયુષ્માન યોજનાનો લાભ લેવા માટે હવે પીવીસી કાર્ડ ફરજિયાત રહેશે નહીં. યોજનાનો લાભ એવા લાભાર્થીઓને જુના કાર્ડના આધારે પણ મળશે. આરોગ્ય અધિકારીઓ પીવીસી કાર્ડ દ્વારા લાભાર્થીઓને ઓળખી શકશે. જરૂરિયાતમંદ લાભાર્થીઓ કોઈપણ પ્રકારની ધાંધલધિકાર વિના આરોગ્ય સેવાઓ મેળવી શકશે.
2017 માં મોદી સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારો વિના મૂલ્યે 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1 કરોડ 63 લાખથી વધુ લાભાર્થીઓની સારવાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ પણ કોઈપણ ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ સારવાર મેળવી શકશે.