બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Malay
Last Updated: 09:04 AM, 1 May 2023
ગૂજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને કાર્યકારી કુલસચિવ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઘણા વર્ષોથી વિદ્યાપીઠમાં કામ કરતા 50 કર્મચારીઓને કાર્યકારી કુલસચિવે મકાન ખાલી કરવાની નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર આ કર્મચારીઓ એક મહિનામાં મકાન ખાલી નહીં કરે તો મકાનનું બજાર ભાડું વસુલવામાં આવશે.
50 કર્મચારીઓને નોટિસ
ગૂજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર ભરત જોષીના જણાવ્યા મુજબ, ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ-4ના 50 કર્મચારીઓને કેમ્પસમાં આવેલા મકાન ખાલી કરવાની નોટિસ અપાઇ છે. તેમને મકાન ખાલી કરવા માટે 1 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. 1 જૂન બાદ પણ ખાલી ન કરે તેમની પાસેથી બજાર ભાડું વસૂલવામાં આવશે.
કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા પાઠવામા આવી નોટિસ
તેમણે જણાવ્યું છે કે, વર્ગ 4ના કર્મીઓને કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં આ નોટિસ પાઠવવામાં આવી છે. જે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ઉમેદવારોની અભ્યાસ અને સ્કિલના આધારે ભરતી કરવામાં આવશે. નવા ઉમેદવારોને પણ નોકરી માટેની તક મળે તે વિદ્યાપીઠનો મુખ્ય ઉદ્દેશ છે.
અમને ચૂકવાય છે 350 રૂપિયાનું મહેનતાણુઃ કર્મચારી
આ મામલે એક કર્મચારીએ જણાવ્યું કે, વિદ્યાપીઠનો પગાર એટલા માટે પોસાતો હતો કારણ કે અમને અહીં રહેવાની સગવડ આપવામાં આવતી હતી. અમને દરરોજનું 350 રૂપિયાનું મહેનતાણું ચૂકવાય છે. જેમાંથી મેડિકલ, પીએપ વિગેરે કપાયા છે. આ વિસ્તારમાં ભાડેથી રહેવા જેટલો પગાર પણ નથી. હવે અમારી ઉંમર પણ થઈ ગઈ હોવાથી બીજી જગ્યાએ સરળતાથી નોકરી પણ મળશે નહીં. સાથે મકાન ખાલી કરવા એક મહિનાનો સમય અપાયો છે. વિદ્યાપીઠે અમે આપેલી સેવાને ધ્યાને લઇને અમને નોકરીમાંથી છૂટા ન કરવા જોઇએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime