બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / Not only Poonam Pandey Manisha Koirala has also created a drama of death FIR was filed
Megha
Last Updated: 11:05 AM, 6 February 2024
તાજેતરમાં જ એક સમાચાર આવ્યા હતા જેણે બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં પૂનમના સોશિયલ મીડિયા દ્વારા, તેના પીઆરએ જણાવ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરથી થયું છે. જોકે, બીજા જ દિવસે તે સોશિયલ મીડિયા પર આગળ આવી અને તેણે આ સમાચારને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આવું કર્યું છે. આ પછી તેને લોકોની ઘણી ટીકાઓ સાંભળવી પડી હતી.
પણ શું તમને એ ખબર છે કે પૂનમ એકલી જ નથી જેણે પોતાના મૃત્યુના ખોટ સમાચાર ફેલાવવાનું આવું કામ કર્યું છે, આ પહેલા મનીષા કોઈરાલા વિશે પણ એમની મૃત્યુના ખોટ સમાચાર ફેલાયા હતા, ચાલો જાણીએ શું છે એ સમગ્ર મામલો.
એક અહેવાલ અનુસાર, 1994ની ફિલ્મ 'ક્રિમિનલ' માટે, ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટે ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર મનીષા કોઈરાલાના મૃત્યુના સમાચાર પ્રકાશિત કર્યા હતા. મુકેશે વિચાર્યું કે ફિલ્મને પ્રમોટ કરવાની આ એક અદ્ભુત રીત છે અને તેણે વિચાર્યા વિના આ નિર્ણય લીધો. જોકે, બાદમાં તેને આ માટે આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
જ્યારે મુકેશ ભટ્ટે આ સમાચાર મીડિયા સમક્ષ રજૂ કર્યા તો બધા ચોંકી ગયા હતા. મુકેશ ભટ્ટે આ સમાચાર જાહેર કર્યા બાદ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. આવું એટલા માટે થયું કારણ કે ઘણા સ્ટાર્સે મનીષા કોઈરાલાના મૃત્યુના સમાચારને સાચા માની લીધા હતા. પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મહેશ ભટ્ટના આ નિર્ણય બાદ લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી. એવું કહેવાય છે કે મનીષા કોઈરાલાને પણ તેમના મૃત્યુના ખોટા સમાચાર વિશે કોઈ જાણ નહોતી.
વધુ વાંચો: Lal Salaam Trailer: એક્શન-ઇમોશનથી ભરપૂર છે 'લાલ સલામ'નું ટ્રેલર, રજનીકાંતની ફૂલ સ્વૈગમાં એન્ટ્રી
ક્રિમિનલ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને નિર્માતા મુકેશ ભટ્ટ હતા અને તેમણે પ્રેક્ષકોને થિયેટરોમાં લાવવા માટે આ બધું કર્યું હતું. જો કે, ચાહકોને ફિલ્મ ક્રિમિનલ વધુ પસંદ આવી ન હતી અને લોકોએ તેને સૌથી ખરાબ ફિલ્મ ગણાવી હતી. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ખોટ સમાચાર ફેલાવવા બદલ ફિલ્મ નિર્માતા વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ