પરપ્રાંતિયોને પોતના વતન જવા માટે છૂટ આપવામાં આવી છે ત્યારથી જ બિનગુજરાતીઓએ પોતાના વતન જવા દોટ મુકી છે. બનાસકાંઠાના અમીરગઢમાં રાજસ્થાન બોર્ડર ઉપર રિતસરનો લાંબો ટ્રાફિક જામ થયો છે. તંત્ર દ્વારા પરમિટ ઈશ્યુ કરાઈ છે કે નહીં તે અંગે કે નોંધણી અંગે પણ કેટલાક લોકો અજાણ છે. ગુજરાત માં આ માટે સ્પેશ્યલ વેબપોર્ટલ બનાવવામાં આવ્યુ છે અને ખાસ IPS અને IASની ટીમ બનાવવામાં આવી છે તેમ છતાં આ અંધાધૂધી કેમ થઈ રહી છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
અમીરગઢ રાજસ્થાન બોર્ડર પર જામ
હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા
સોશિયલ ડિસ્ટન્સનું નથી થતું પાલન
બનાસકાંઠાની અમીરગઢ રાજસ્થાન બોર્ડર પર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે. સરકારે બિનગુજરાતીઓને વતન જવા છૂટ આપતા ટ્રાફિકજામ થયો છે. મંજૂરી મળતાની સાથે જ હજારોની સંખ્યામાં લોકો બોર્ડર પહોંચ્યા છે. તંત્ર દ્વારા લોકોને તપાસી બોર્ડર પર મોકલવામાં આવી રહ્યાં છે.
બનાસકાંઠા અમીરગઢ રાજસ્થાન બોર્ડર પર ટ્રાફિક જામ
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર લોકો જમા થયા છે. કલમ 144નો સરેઆમ ભંગ થઇ રહ્યો છે.
ગુજરાત સરકારે ખાસ ટીમ બનાવી
ગુજરાત સરકારે 8 IPS અને 8 IASની ટીમ બનાવી છે એટલું જ નહીં પરંતુ વેબપોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે તેમ છતાં સરહદ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.