બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પાસપોર્ટ વગર કરી શકાશે દર્શન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે 9 નવેમ્બરના રોજ ઉદઘાટનના દિવસે કોઈ પણ ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી ફી લેવામાં નહિ આવે. પ્રથમ દિવસે કોઈ પણ યાત્રિકોએ ફી ભરવી પડશે નહિ. આ સિવાય તેમણે અન્ય એક ઘોષણા કરી કે શીખ શ્રદ્ધાળુઓએ કરતારપુર દર્શન કરવા આવવા માટે પાસપોર્ટની જરૂર નહિ પડે.
ADVERTISEMENT
દસ દિવસ અગાઉ નોંધણી નહિ કરાવવી પડે
પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે શીખ શ્રદ્ધાળુઓ માટે બે મોટી રાહત આપી છે એક અહિયાં આવતા કોઈ પણ શ્રદ્ધાળુઓએ પાસપોર્ટની જરૂર નહિ પડે, વોટર આઈડી કાર્ડથી એન્ટ્રી આપી દેવામાં આવશે. શ્રદ્ધાળુઓએ 10 દિવસ અગાઉથી જ નોંધણી કરવાની જરૂર નહિ પડે આ સિવાય પ્રથમ દિવસે તેમની પાસે કોઈ ફી લેવામાં આવશે નહિ.
ADVERTISEMENT
દરરોજ 5000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન
ભારત-પાકિસ્તાનની (India) (Pakistan) વચ્ચે થયેલી સમજૂતી બાદ કરતારપુર કૉરિડોરને (Kartarpur corridor) આધારે દરરોજ 5000 શ્રદ્ધાળુઓ દર્શન માટે જઇ શકશે. વિશેષ મોકાઓ પર વધારે શ્રદ્ધાળુઓ પણ અહીં પહોંચી શકશે. પાકિસ્તાને ભારતને ભરોસો અપાવ્યો છે કે તે શ્રદ્ધાળુઓની વધારે સંખ્યાને કરતારપુર કૉરિડોર આવવાની પરવાનગી આપવા ઇચ્છે છે.
ADVERTISEMENT
365 દિવસ ખુલ્લો રહેશે કરતારપુર કોરિડોર
કરતારપુર કૉરિડોર વર્ષનાં 365 દિવસ ખુલ્લી રહેશે. શ્રદ્ધાળુઓ પાસે આ વિકલ્પ હશે કે તેઓ એકલા જઇ શકશે અથવા તો પછી તેમની પાસે સમૂહમાં જવાની સુવિધા હશે. વ્યવસ્થા અનુસાર શ્રદ્ધાળુ ચાલીને જ અહીં આવશે. બંને પક્ષ બુઢી રાવી નહેર પર પુલ બનાવવા માટે રાજી થઇ ગયા છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.