બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને હાલનો બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હવે આ સવાલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભારત અને જર્મનીની સ્થિતિ અલગ
વાસ્તવમાં ભારતમાં કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે લૉકડાઉનનો સમય 3 મે સુધી વધારી દેવામાં આવ્યો છે. આ વચ્ચે એવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે જર્મનીમાં બુંડેસલીગા લીગ મે મહિનામાં આયોજિત કરવામાં આવી શકે છે. એવામાં જ્યારે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અન્ય દેશોમાં રમત ચાલુ થવાનો વિચાર થઇ રહ્યો છે ચો શું ભારતમાં આ શક્ય છે. એની પર ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું કે ભારત અને જર્મનીની સ્થિતિ અલગ અલગ છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલીએ કહ્યું, જર્મની અને ભારતની સામાજિક સ્થિતિઓ અલગ અલગ છે. ભારતમાં નજીકના ભવિષ્યમાં કોઇ પ્રકારની ક્રિકેટ નહીં યોજાય. એને લઇને ઘણા મંતવ્ય હોઇ શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હું એવી કોઇ રમતમાં વિશ્વાસ નથી કરતો, જેનાથી માણસના જીવ જોખમમાં મૂકાય.

ADVERTISEMENT
હરભજન સિંહે કર્યું ગાંગુલીનું સમર્થન
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સમર્થનમા ટીમ ઇન્ડિયાના સ્પિનર હકભજન સિંહે પણ સમર્થન આપ્યું છે. એને કહ્યું જ્યારે આઇપીએલ ટીમો સફર કરે છે તો એરપોર્ટ, હોટલ્સ અને સ્ટેડિયમની બહાર ખૂબ ભીડ એકત્રિત થાય છે. જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરી રહ્યા છો તો આ ચીજને કેવી રીતે રોકશો. એવામાં જ્યાં સુધી કોરાના વાયરસની દવા ઉપલબ્ધ થતી નથી ત્યાં સુધી કોઇ પ્રકારની ક્રિકેટ રમવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અત્યાર સુધી એક લાખ 77 હજારથી વધારે લોકોનો મોત થયા છે. વર્લ્ડમાં આ મહામારીના સંક્રમણમાં 25 લાખથી વધારે લોકો આવી ચુક્યા છે. ભારતની વાત છે તો ચીનના વુહાન શહેરમાંથી નિકળેલી આ મહામારીએ અહીંયા આશરે 650 લોકોના જીવ લીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.