બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:18 PM, 25 July 2026
આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. આ સમયે લોકોમાં ITR ફાઈલ કરવાની ભારે ઉતાવળ જોવા મળી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ આવકવેરા વિભાગના અધિકારીઓને મહત્વના સૂચનો આપ્યા છે.
ADVERTISEMENT
જેમાં મંત્રીએ કહ્યું કે વિભાગે ઈમાનદાર ટેક્સપેયર્સ માટે પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ અને જાણીજોઈને ટેક્સ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમને ભાર મૂક્યો કે, “અમારો અભિગમ એવો છે કે સાચા ટેક્સપેયર્સને સુવિધા મળે, નાની ભૂલો સુધારવાની તક આપવામાં આવે અને ઇરાદાપૂર્વક ટેક્સ ચોરી કરનારાઓ પર કાર્યવાહી થાય.”
આ સિવાય તેમને જણાવ્યું કે ટેક્સ કાયદાના અધિકારોનો ઉપયોગ હંમેશા વિનમ્રતાથી કરવો જોઈએ. ટેક્સપેયરને માત્ર ટેક્સ આકાલમમનો વિષય નહીં પરંતુ દેશના નાગરિક અને રાષ્ટ્ર વિકાસના ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમને ટેક્સ વિવાદો ઘટાડવા અને ટેક્સમાં વધુ સ્થિરતા લાવવા પર પણ ભાર મૂક્યો છે.
ADVERTISEMENT
ચાલુ સત્રમાં 21 જુલાઈ સુધીમાં 3.2 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ભરાઈ ચૂક્યા છે, જેમાંથી 94% વેરિફાઈ અને 60% સેટલ થઈ ગયા છે. આ સિવાય 1.3 કરોડથી વધુ રિફંડના દાવા કરવામાં આવ્યા છે. જેમાં 96% વેરિફાઈ અને 40% સેટલ થયા છે.
ADVERTISEMENT
આ અંગે નાણા મંત્રીએ કહ્યું કે, રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવાથી ટેક્સપેયર્સનો વિશ્વાસ વધે છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આ અંગે સીબીડીટી અધ્યક્ષ રવિ અગ્રવાલએ જણાવ્યું કે ફરિયાદોના નિવારણમાં સુધારો થયો છે અને સમય ઘટાડવામાં આવ્યો છે. વિભાગ હવે વારંવાર આવતી ફરિયાદોના મૂળ કારણોને દૂર કરવા પર પણ કામ કરી રહ્યું છે.
ADVERTISEMENT
મોટાભાગના વ્યક્તિગત ટેક્સપેયર્સ માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. જેમાં પગારદાર કર્મચારીઓ અને પેન્શનર્સનો સમાવેશ થાય છે. જો કે ITR-4 ફાઈલર્સ માટે તારીખ 31 ઓગસ્ટ 2026 જણાવવામાં આવી છે. છેલ્લા અમુક દિવસોથી 31 જુલાઈની ડેડલાઈન વધારવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ઓફીશીયલ જાહેરાત થઈ નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.