ભાવનગરના સી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ હઠીસિંહ સોલંકીને એક બળાત્કારની ફરિયાદ ન નોંધવાના કારણે ભાવનગરના જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડાંમાં ખળભળાટ મચી જવા પામેલ છે. આ અધિકારીએ 12 દિવસ પહેલા જૂના બંદર દોર ઉપર એક બાળકી સાથે કોઈ અજાણયા શખ્સે દુષ્કર્મ આચર્યું હતું અને આ પરિવારે 3 વખત ધક્કા ખાવા છતાં ફરિયાડીની ફરિયાદ આ પી.આઈ એ ગઈકાલ સુધી લીધી ન હતી.
ADVERTISEMENT
આ અંગે ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા આખરે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પી.આઈ હઠીસિંહ સોલંકી પોતે ઈમાનદાર હોવાનો દાવો કરી અગાઉ મિડયા સાથે પણ ઉધ્ધાતાઈભર્યું વર્તન કરતા ચર્ચામાં રહ્યાં હતા. ભાવનગરમાં આજે પી.આઈ હઠીસિંહ સોલંકીને સસ્પેન્ડ કરાતા ચકચાર મચી જવા પામી છે.