રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યુ કે હું શિવસેનાનો ચહેરો નથી પાટીદારનો ચહેરો છું. હું રાજનીતિમાં જોડાયો નથી. મારો ઉદેશ માત્ર પાટીદારોનો ન્યાય આપાવનો છે. અને રાજ્યને ભયમુક્ત શાસન કરવાનું છે. હું હંમેશા સાચા લોકોને સાથ આપીશ.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને હાઇકોર્ટે છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપ્યા હતાં. જે 6 મહિના પુર્ણ થતા હાર્દિક પટેલને અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર રહેવાનો આદેશ અપાયો હતો. જેને લઇ હાર્દિક પટેલ સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહ્યો હતો.