સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર માનવામા આવે છે. લાંબા સમયથી સુરેન્દ્રનગરની પ્રજા અંબાજી સુધીની સીધી બસ સેવાની માંગણી કરી રહી હતી. જે પછી એસ.ટી વિભાગ દ્વારા તેમની માંગ અને રજુઆતને ધ્યાને લઇ સુરેદ્રનગરથી અંબાજી સુધી નવી બસ શરુ કરવામાં આવતા મુસાફરો સહીત પ્રજાજનોમાં આનંદ ફેલાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આ શહેરમાં બસ સ્ટેન્ડ ખાતેથી રાજ્યના દરેક શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અવર-જવર માટે અનેક એસ.ટી. બસો નિયમિત ચાલે છે. પરંતુ અંબાજી દર્શને જવા માટે યાત્રિકોને સીધી બસ સેવા નહોતી. જેના પગલે છેલ્લા ઘણા સમયથી સુરેદ્રનગરથી અંબાજી એસ.ટી. બસ શરુ કરવાની માંગ ઉઠી હતી. જેને લઇ આજે પ્રજાના પ્રશ્ર્નોનો ઉકેલ આવતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.