પંપોરમાં શ્રીનગર-જમ્મુ હાઇવે પર સ્થિત આંટ્રપ્રિન્યોરશિપ ડિવેલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (EDI)ની ઇમારતમાં છુપાયેલા બંને આતંકીયોને સેનાએ ઠાર માર્યા છે. આ સાથે ત્રણ દિવસથી ચાલી રહેલું ઓપરેશન આખરે પૂર્ણ થયું છે. સેનાએ બુધવાર સવારે ઇમારતમાં છુપાયેલા બીજા આતંકીને ઠાર કર્યો હતો. ત્યાર બાદ પણ ઇમારતમાં આતંકીઓ છુપાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખતા સેનાએ ઓપરેશન ચાલું રાખ્યું હતું પરંતુ કોઈ ન મળવાને કારણે આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ ઓપરેશન પૂર્ણ થયા બાદ સેનાના વિક્ટર ફોર્સના જીઓસી મેજર જનરલ અશોક નરુલાએ જણાવ્યું કે 2 આતંકી માર્યા ગયા છે અને બે હથિયાર પણ મળી આવ્યા છે. તેમણે કહ્યુ કે ઓપરેશન પૂર્ણ થવામાં સમય લાગ્યો કારણ કે 60 રૂપ અને 60 રૂમના 60 બાથરૂમ પણ હતા દરેક રૂમમાં પહોંચતા ઘણો સમય લાગી ગયો. બિલ્ડિંગની અંદર સામાન્ય લોકો પણ હોવાની સંભાવના હતી અને તે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.